જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો

(Utkarsh Patel)

જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.

પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.

જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે તો તમારી લાગણીઓને ઠેશ પહોચવાની પૂરી શક્યતાઓ રહેશે. મિત્ર સુદામા જેવો હોય તો એનો હાથ પકડજો અને મિત્ર ધનવાન હોય તો એના ધનને નહીં મિત્રને જ પ્રેમ કરજો.

જો આપ કોઈક વેપારમાં નિપૂણ હશો તો કેટલાય લોકો તમારી સાથે જોડાવવા કે ભાગીદારી કરવા તત્પરતા બતાવશે. વેપારમાં ભાગીદારી કરતા પહેલા ધ્યાન રાખજો કે ભાગીદાર નફાનો જ ભાગીદાર છે કે ખોટમાં પણ ખોટ ખાઈને સાથ આપે એમ છે!! માત્ર નફાની આશા રાખનાર ભાગીદારથી છૂટા થઈ જજો અને તડકી છાયડીમાં સાથ આપે એવા ભાગીદારને સથવારે પ્રગતિ કરજો.

જો આપ સામાજિક જીવ કે રાજનીતિમાં અગ્રેસર છો તોતો ભગવાન તમારું ભલું કરે કેમ કે અહીંયા કોઈ કાયમી મિત્ર નથી કે શત્રુ નથી બધુજ સગવડ્યું તકવાદી છે, અહીંયા તમે એકલાજ છો અને એકલા જ રહી જશો!

આ કલયુગી સંસારમાં મોટેભાગે સંબંધોનો ઉપયોગ કરી લેનારા લોકો મળશે એટલે થોડું સાચવીને સમજીને લાગણીઓનો વ્યવહાર કરજો. એનો મતલબ એ નથી કે કોઈ સારા છે જ નહીં. ઘણા સારા લોકો પણ આ સંસારમાં છે જેઓ સંબંધોનું મૂલ્ય સમજે છે અને હરહંમેશ દરેક સંજોગોમાં સાથે રહે છે પછી એ સુખ હોય કે દુઃખ, નફો હોય કે નુકશાન!!

પવિત્ર ભાવના સાથે દરેક ક્ષેત્રે સારા નિઃસ્વાર્થ સંબંધો કેળવજો અને સારું જીવન જીવી લેજો. સંતોષ થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે સ્વયં પર ગર્વ થશે અને ઈશ્વરને પણ ગમશો. સૌના આશીર્વાદ અને અમીદૃષ્ટિ રહેશે આપના પર.

અગત્યનું:

આપના ઘરના ઉંબરાની બહાર સંબંધો સૌની સાથે રાખજો પણ લાગણી અને વિશ્વાસ રાખતા પહેલા પરખ જરૂર કરજો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.

સુખમય રહે સૌનું જીવન

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.