INDIA ગઠબંધનના 6 સાંસદોનું સભ્યપદ રદ થઇ શકે, જાણો શું છે કારણ

ઉત્તર પ્રદેશમાં 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને INDIA ગઠબંધન વચ્ચે સખત ટક્કર જોવા મળી. આ કાંટાની ટક્કરમાં વિપક્ષને અંતે સત્તાધારી પાર્ટીથી વધુ સીટો મળી. જો કે, રાજ્યમાં સમાન્ય ચૂંટણીના પરિણામ જોખમમાં પડી શકે છે કેમ કે INDIA ગઠબંધનના 6 સાંસદ ઘણા ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે 2 વર્ષની વધુની જેલ થઈ શકે છે. IANSના રિપોર્ટ મુજબ, જો INDIA ગઠબંધનના 6 સાંસદોને તેમના પર ચાલી રહેલા ગુનાહિત કેસોમાં દોષી ઠેરવવામાં આવે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે.

તેમાં સૌથી ઉલ્લેખનીય નામ સાંસદ અફઝલ અન્સારીનું છે, જે ગેંગસ્ટરમાથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીના મોટા ભાઈ છે. મુખ્તાર અન્સારીનું આ વર્ષની શરૂઆતમાં મોત થઈ ગયું હતું. સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ અફઝલ અન્સારીને ગેંગસ્ટર એક્ટના એક કેસમાં પહેલા જ 4 વર્ષની સજા સંભળાવી છે. જો કે, અલ્લાહબાદ હાઇકોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી હતી, જેથી તેમને સામાન્ય ચૂંટણી લડવાનો અવસર મળી ગયો.

જો કે, જુલાઈમાં જ્યારે કોર્ટ ખુલશે તો કેસની સુનાવણી થશે. જો કોર્ટ તેમની સજા યથાવત રાખે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે. આજમગઢના સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવ વિરુદ્ધ પણ 4 ગુનાહિત કેસ પેન્ડિંગ છે અને જો તેમને 2 વર્ષ કે તેનાથી વધુની સજા મળે છે તો તેઓ પણ પોતાની લોકસભાની સભ્યતા ગુમાવી દેશે. એ સિવાય ઝોનપુરના સાંસદ બાબુ સિંહ કુશવાહ વિરુદ્ધ NRHM કૌભાંડ સાથે સંબંધિત 25 કેસો નોંધાયેલા છે, જે એ સમયે થયા હતા જ્યારે માયાવતી ઉત્તર પ્રદશન મુખ્યમંત્રી હતા.

સુલ્તાનપુર સીટથી ભાજપના નેતા મેનકા ગાંધીને હરાવીને જીતનારા રામભુઆલ નિષાદ 8 કેસમાં આરોપી છે. જેમાંથી એક ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. આ પ્રકારે વીરેન્દ્ર સિંહ (ચંદોલીના સાંસદ) અને ઈમરાન મસૂદ (સહારનપુરથી સાંસદ) વિરુદ્ધ પણ ઘણા કેસ નોંધાયેલા છે. આ INDIA ગઠબંધનના સાંસદો વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં ઘણા પ્રકારના ગુના સામેલ છે, જેમ કે મની લોન્ડ્રિંગ, ધમકી અને ગેંગસ્ટર એક્ટની કલમો, જેના માટે 2 વર્ષ કરતા વધુની જેલ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.