INDIA ગઠબંધનના 6 સાંસદોનું સભ્યપદ રદ થઇ શકે, જાણો શું છે કારણ

ઉત્તર પ્રદેશમાં 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને INDIA ગઠબંધન વચ્ચે સખત ટક્કર જોવા મળી. આ કાંટાની ટક્કરમાં વિપક્ષને અંતે સત્તાધારી પાર્ટીથી વધુ સીટો મળી. જો કે, રાજ્યમાં સમાન્ય ચૂંટણીના પરિણામ જોખમમાં પડી શકે છે કેમ કે INDIA ગઠબંધનના 6 સાંસદ ઘણા ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે 2 વર્ષની વધુની જેલ થઈ શકે છે. IANSના રિપોર્ટ મુજબ, જો INDIA ગઠબંધનના 6 સાંસદોને તેમના પર ચાલી રહેલા ગુનાહિત કેસોમાં દોષી ઠેરવવામાં આવે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે.

તેમાં સૌથી ઉલ્લેખનીય નામ સાંસદ અફઝલ અન્સારીનું છે, જે ગેંગસ્ટરમાથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીના મોટા ભાઈ છે. મુખ્તાર અન્સારીનું આ વર્ષની શરૂઆતમાં મોત થઈ ગયું હતું. સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ અફઝલ અન્સારીને ગેંગસ્ટર એક્ટના એક કેસમાં પહેલા જ 4 વર્ષની સજા સંભળાવી છે. જો કે, અલ્લાહબાદ હાઇકોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી હતી, જેથી તેમને સામાન્ય ચૂંટણી લડવાનો અવસર મળી ગયો.

જો કે, જુલાઈમાં જ્યારે કોર્ટ ખુલશે તો કેસની સુનાવણી થશે. જો કોર્ટ તેમની સજા યથાવત રાખે છે તો તેઓ પોતાની સંસદ સભ્યતા ગુમાવી દેશે. આજમગઢના સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવ વિરુદ્ધ પણ 4 ગુનાહિત કેસ પેન્ડિંગ છે અને જો તેમને 2 વર્ષ કે તેનાથી વધુની સજા મળે છે તો તેઓ પણ પોતાની લોકસભાની સભ્યતા ગુમાવી દેશે. એ સિવાય ઝોનપુરના સાંસદ બાબુ સિંહ કુશવાહ વિરુદ્ધ NRHM કૌભાંડ સાથે સંબંધિત 25 કેસો નોંધાયેલા છે, જે એ સમયે થયા હતા જ્યારે માયાવતી ઉત્તર પ્રદશન મુખ્યમંત્રી હતા.

સુલ્તાનપુર સીટથી ભાજપના નેતા મેનકા ગાંધીને હરાવીને જીતનારા રામભુઆલ નિષાદ 8 કેસમાં આરોપી છે. જેમાંથી એક ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. આ પ્રકારે વીરેન્દ્ર સિંહ (ચંદોલીના સાંસદ) અને ઈમરાન મસૂદ (સહારનપુરથી સાંસદ) વિરુદ્ધ પણ ઘણા કેસ નોંધાયેલા છે. આ INDIA ગઠબંધનના સાંસદો વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં ઘણા પ્રકારના ગુના સામેલ છે, જેમ કે મની લોન્ડ્રિંગ, ધમકી અને ગેંગસ્ટર એક્ટની કલમો, જેના માટે 2 વર્ષ કરતા વધુની જેલ થઈ શકે છે.

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.