INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી મારવાનું કારણ શું હતું? આ સવાલ પર અટકળોનું બજાર ગરમ હતું. હવે JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારને ઉખાડી ફેંકવા માટે વિપક્ષી પાર્ટીઓ લામબંધ થઇ હતી. વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનો શ્રેય મુખ્યમંત્રી નીતિશ કુમારને આપવામાં આવે છે.

kc-tyagi2
indiatoday.in

 

કહેવામાં આવે છે કે, INDIA ગઠબંધનની કલ્પના મુખ્યમંત્રી નીતિશ કુમારની હતી. વિપક્ષી પાર્ટીઓની એકતાએ આકાર લીધા બાદ, રાજકીય ધમાસાણ મચી ગઈ હતી. બિહારમાં આગામી ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધનમાથી મોહભંગ થવા પર મોટો ખુલાસો થયો છે. JDU નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધન છોડવાનું સૌથી મોટું કારણ જાતિ વસ્તી ગણતરી પર કોંગ્રેસનો આંતરિક ટકરાવ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ગઠબંધનમાં સામેલ ઘણી પાર્ટી પણ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહ્યા હતા.

જાતિગત વસ્તી ગણતરીથી ખચકાઈ રહેલી કેન્દ્ર સરકાર અચાનક પલટી મારતા સહમત થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર અવાજ ઉઠાવતા હતા. સાર્વજનિક મંચ પરથી જાતિગત વસ્તી ગણતરીની માગ ચાલુ હતી. વર્ષ 2022માં, નીતિશ કેબિનેટે જાતિ આધારિત સર્વેનો પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

kc-tyagi2
indiatoday.in

 

સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષ આક્રમક થઈ ગયું. કોંગ્રેસ સહિત મળીને RJD કેન્દ્ર સરકાર પર જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટે દબાણ કરવા લાગી. મોદી સરકારે પલટી મારતા જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો. કેસી ત્યાગી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધ કરવાને પણ નીતિશ કુમારના INDIA ગઠબંધનથી અલગ થવાનું કારણ માને છે. આ નવા ખુલાસા ચૂંટણી વર્ષમાં બિહારની રાજનીતિ વધુ ગરમાવો લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.