INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી મારવાનું કારણ શું હતું? આ સવાલ પર અટકળોનું બજાર ગરમ હતું. હવે JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારને ઉખાડી ફેંકવા માટે વિપક્ષી પાર્ટીઓ લામબંધ થઇ હતી. વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનો શ્રેય મુખ્યમંત્રી નીતિશ કુમારને આપવામાં આવે છે.

kc-tyagi2
indiatoday.in

 

કહેવામાં આવે છે કે, INDIA ગઠબંધનની કલ્પના મુખ્યમંત્રી નીતિશ કુમારની હતી. વિપક્ષી પાર્ટીઓની એકતાએ આકાર લીધા બાદ, રાજકીય ધમાસાણ મચી ગઈ હતી. બિહારમાં આગામી ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધનમાથી મોહભંગ થવા પર મોટો ખુલાસો થયો છે. JDU નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારના INDIA ગઠબંધન છોડવાનું સૌથી મોટું કારણ જાતિ વસ્તી ગણતરી પર કોંગ્રેસનો આંતરિક ટકરાવ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ગઠબંધનમાં સામેલ ઘણી પાર્ટી પણ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહ્યા હતા.

જાતિગત વસ્તી ગણતરીથી ખચકાઈ રહેલી કેન્દ્ર સરકાર અચાનક પલટી મારતા સહમત થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર અવાજ ઉઠાવતા હતા. સાર્વજનિક મંચ પરથી જાતિગત વસ્તી ગણતરીની માગ ચાલુ હતી. વર્ષ 2022માં, નીતિશ કેબિનેટે જાતિ આધારિત સર્વેનો પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

kc-tyagi2
indiatoday.in

 

સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષ આક્રમક થઈ ગયું. કોંગ્રેસ સહિત મળીને RJD કેન્દ્ર સરકાર પર જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટે દબાણ કરવા લાગી. મોદી સરકારે પલટી મારતા જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો. કેસી ત્યાગી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધ કરવાને પણ નીતિશ કુમારના INDIA ગઠબંધનથી અલગ થવાનું કારણ માને છે. આ નવા ખુલાસા ચૂંટણી વર્ષમાં બિહારની રાજનીતિ વધુ ગરમાવો લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.