જયા કિશોરીએ એવું શું કહ્યું કે માફી માંગવી પડી

જ્યારે જીવનમાં બધું ગૂંચવાયેલું અને અસ્તવ્યસ્ત થઇ ગયેલું લાગે છે અને પરિસ્થિતિઓ કાબુ બહાર જતી હોય તેમ દેખાય છે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક આ ગુસ્સો આપણે એવા લોકો પર નીકાળીએ છીએ કે જે આપણા સૌથી નજીકના હોય, જેમણે કોઈ ભૂલ પણ કરી નથી. આવા સમયે, પોતાને સંયમિત કરવું અને શાંતિથી વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જયા કિશોરી તેમના પ્રવચનોમાં કહે છે કે, મુશ્કેલ સમયમાં ધીરજ અને સમજણની સૌથી વધુ જરૂર હોય છે. તેમનો સંદેશ એ છે કે, જો તમને ગુસ્સો આવે તો તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળો. એક ક્ષણ માટે થોભો, ઊંડો શ્વાસ લો, અને વિચારો કે શું તમારું વર્તન તમારા નજીકના કોઈને દુઃખ તો નથી પહોચાડતુંને. આ થોડી વાર માટે અટકી જવું એ તમારા સંબંધોને તૂટતા બચાવી શકે છે અને મનને શાંત રાખી શકે છે. જયા કિશોરીએ બીજી એક વાત શેર કરી જે તમારે ચોક્કસપણે સાંભળવી જોઈએ, અને સંબંધોમાં ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો તે શીખવું જોઈએ.

02

જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમે ગુસ્સામાં પણ તેને દુઃખી ન કરી શકો. તેથી, મારા શબ્દોની પસંદગી સમજદારીપૂર્ણ છે, ગુસ્સામાં પણ, જેથી હું એમ ન કહું કે 'મારો મતલબ એવો નહોતો.' 'મારા દરેક શબ્દનો મતલબ તો આ જ હતો.' 'જો મેં શાંત થઈને પછી કંઈક કહ્યું હોય, તો હું તે વાત સાથે કાયમ રહીશ, કે મેં આ કહ્યું છે.' પરંતુ ઘણા લોકો ઝઘડો કરે છે, ગુસ્સામાં કંઈ પણ કહી દે છે, અને પછી કહે છે, 'મારો મતલબ એ નહોતો' અને ત્યાર પછી માફી માંગી લે છે. પરંતુ મને લાગે છે કે, તેમના મોંમાંથી એવા શબ્દો નીકળતા નથી સિવાય કે તેમના મનમાં તેવા વિચારો ન હોય.

ગુસ્સામાં, લોકો ઘણીવાર એવા શબ્દો બોલે છે જે પાછળથી સંબંધોમાં ઉભી તિરાડ પાડી શકે છે. જયા કિશોરી કહે છે, 'કોઈ બીજાને કારણે આપણે ગુસ્સે થયા છીએ એનો ગુસ્સો આપણા પોતાના પર નીકળવાથી ન તો ફક્ત સંબંધો બગડે છે, પણ આપણી માનસિક શાંતિ પણ છીનવાઈ જાય છે.'

https://www.instagram.com/reel/DQ_xME7kVJn/

આજના સમયમાં, જ્યારે દરેક વ્યક્તિ તણાવ અને દબાણથી ઘેરાયેલો હોય છે, ત્યારે આ શિખામણ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તમે વિચારો, કોઈ બહારનો સંઘર્ષ અથવા તણાવની અસર તમારા બાળકો, જીવનસાથી અથવા મિત્રો પર શા માટે પડે? એટલે, સંયમ જાળવી રાખવો અને ગુસ્સાની આગને શબ્દોથી ભડકાવવાને બદલે શાંત મનથી તેને ઓલવી નાખવી એ જ સંબંધો અને મન બંને માટે શ્રેષ્ઠ અભિગમ છે.

03

જયા કિશોરી સમજાવે છે કે, કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા થોડીક સેકન્ડ માટે થોભવું ખુબ મહત્વપૂર્ણ છે. આ થોડુંક અટકી જવું આપણને આપણી લાગણીઓને પ્રતિબિંબિત કરવા અને સમજવાનો સમય આપે છે. જ્યારે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા નથી, ત્યારે આપણે કઠોર અથવા અયોગ્ય શબ્દો ટાળીએ છીએ, જે પાછળથી સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. આ નાનો સંયમ ઘણા મોટા વિવાદોને ઉભા થતા અટકાવે છે અને સંબંધોને મજબૂત બનાવી રાખે છે.

જો તમે ખરાબ મૂડમાં છો, તો તેનો અર્થ એ નથી કે તમારે તમારો ગુસ્સો બીજાઓ પર ઉતારવો જોઈએ. જયા કિશોરી કહે છે, 'તમારી લાગણીઓ તમારી જવાબદારી છે.' તેથી, તમારી માનસિક સ્થિતિનો ભાર બીજાઓ પર નાખવાને બદલે, પોતાને શાંત કરવાનું શીખો. આ સમજણ ઘરનું વાતાવરણ હળવું રાખે છે અને સંબંધોમાં બિનજરૂરી તણાવ આવતા અટકાવે છે.

04

કંઈ પણ બોલતા પહેલા, પોતાને એક સવાલ પૂછો, 'શું આ સાચું છે?' જો જવાબ ના હોય, તો ચૂપ રહેવું જ વધારે સારું છે. જયા કિશોરીના મતે, ક્યારેક ચૂપ રહેવાથી આપણે પોતાને અને અને સામેની વ્યક્તિને મોટી ભૂલથી બચાવી શકીએ છીએ.

ગુસ્સાને કાબૂમાં રાખવો એ નબળા માણસની નિશાની નથી, પરંતુ તે એ દર્શાવે છે કે, તમારું પોતાના પર સંપૂર્ણ નિયંત્રણ છે. જયા કિશોરીનો સંદેશ પણ એ જ છે, આપણી પાસે લાગણીઓ છે, પરંતુ આપણે તેમના ગુલામ નથી. જો આપણે આપણી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકીએ, તો જીવન સરળ બને છે અને સંબંધો પણ મજબૂત બને છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.