નાગાલેન્ડના 4 લાખથી વધુ લોકોએ મતદાન ન કર્યું, કારણ જાણી ચોંકી જશો

લોકસભા ચૂંટણી 2024નો જંગ શરૂ થઈ ગયો છે. શુક્રવારે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર મળીને લગભગ 60 ટકા મતદાન થયું હતું. જો કે, નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લાઓમાં, મતદાન કર્મચારીઓ લગભગ નવ કલાક સુધી બૂથ પર રાહ જોતા હતા, પરંતુ આ વિસ્તારોના ચાર લાખ મતદારોમાંથી એક પણ મતદારે મતદાન કર્યું ન હતું. હવે સવાલ એ થાય છે કે ચૂંટણીમાં એક પણ મતદારે પોતાનો મત કેમ ન આપ્યો.

નાગાલેન્ડની એકમાત્ર લોકસભા સીટ પર શુક્રવારે મતદાન થયું હતું. અહીં કુલ મતદાનની ટકાવારી માત્ર 57 ટકા રહી હતી. જ્યારે, ગત લોકસભા ચૂંટણીમાં લગભગ 83 ટકા મતદાન થયું હતું. એટલે કે મતદાનની ટકાવારીમાં કુલ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે,  નાગાલેન્ડના પૂર્વ ભાગમાં 6 જિલ્લા આવેલા છે જેમાં સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોરનો સમાવેશ થાય છે. તે દરેક મળીને લગભગ 4 લાખ મતદારો છે, પરંતુ તેમાંથી એકે પણ મતદાન કર્યું નથી.

ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) અને ઘણા આદિવાસી સંગઠનોએ ચૂંટણીના બહિષ્કાર અને બંધનું આહ્વાન કર્યું હતું, જેનું અહીંના લોકોએ પાલન કર્યું છે. સંગઠને એવી પણ ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યક્તિ મતદાન કરવા જાય અને કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી સંબંધિત મતદારોની રહેશે. આ કારણોસર ચાર લાખમાંથી એક પણ મતદાર મતદાન કરવા ઘરની બહાર નીકળ્યો ન હતો.

ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO)એ ઈસ્ટર્ન નાગાલેન્ડમાં આદિવાસીઓનું સૌથી મોટું સંગઠન છે. ENPO પૂર્વીય નાગાલેન્ડને નાગાલેન્ડથી અલગ કરવા અને અલગ રાજ્ય- ફ્રન્ટિયર નાગાલેન્ડ પ્રદેશની માંગ કરી રહ્યું છે. ENPO 2010થી અલગ રાજ્યની માંગ કરી રહ્યું છે. તે દાવો કરે છે કે, નાગાલેન્ડના પૂર્વ ભાગમાં સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોર જેવા છ જિલ્લાઓ ઘણા વર્ષોથી આર્થિક અને સામાજિક રીતે ઉપેક્ષિત છે.

જો કે, CM નેફિયુ રિયોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પહેલેથી જ એક સ્વાયત્ત સંસ્થાની ભલામણ કરી છે, જેથી આ પ્રદેશને બાકીના રાજ્યની સમકક્ષ પર્યાપ્ત આર્થિક પેકેજ મળી શકે. જ્યારે સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવે ત્યારે ચૂંટાયેલા સભ્યો સાથે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. ધારાસભ્યો અને ENPOએ ફોર્મ્યુલા પર કામ કરવા માટે ટેબલ પર બેસવું જોઈએ. આ પછી જ આપણે વાત કરી શકીશું.

નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારી વાયસન Rએ ચૂંટણી દરમિયાન અનુચિત પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ જોઈને ENPOને કારણ બતાવો નોટિસ પાઠવી છે. તેમણે IPCની કલમ 171Cની પેટા-કલમ (1) હેઠળ જણાવ્યું હતું કે, જે કોઈ પણ ચૂંટણી અધિકારના મુક્ત ઉપયોગમાં સ્વેચ્છાએ દખલ કરે છે અથવા દખલ કરવાનો પ્રયાસ કરે છે, તે ચૂંટણીને પ્રભાવિત કરવાનો ગુનો કરે છે. નોટિસનો જવાબ આપતાં, ENPOએ સ્પષ્ટ કર્યું કે, તેમણે ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેવાથી દૂર રહેવાના તેના ઇરાદા વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.