મહાયુતિની આજની બેઠક કેન્સલ, CM શિંદે પોતાના ગામ જવા નીકળી ગયા

મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પાછા ફરે તેવી શક્યતા છે.

આ પહેલા, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ, CM એકનાથ શિંદે, BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા માટે મોટી બેઠક યોજાવાની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, CM એકનાથ શિંદે અચાનક સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા પછી આ બેઠક ફરીથી યોજાશે અને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દેવેન્દ્ર ફડણવીસ, CM એકનાથ શિંદે અને અજિત પવાર સાથે અલગથી વાત કરી હતી. BJP અધ્યક્ષ JP નડ્ડા, NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, NCP સાંસદ સુનીલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી પરંતુ CMના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.

આ બેઠક પછી ત્રણેય CM એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક CM એકનાથ શિંદેએ કહ્યું છે કે, આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને JP નડ્ડાની સાથે મિટિંગ કરી હતી. CM શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે, જેમાં CMના નામ પર નિર્ણય લેવામાં આવશે.

આ અગાઉ, CM શિંદેએ ફરી વખત કહ્યું કે, CM પદ માટે કોઈ અવરોધો નથી અને 'લાડલા ભાઈ'એ એક શીર્ષક છે, જેનો અર્થ તેમના માટે અન્ય કંઈપણ કરતાં વધુ મહત્વ ધરાવે છે. મેં ગઈ કાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે, મહાયુતિના CMને લઈને કોઈ અવરોધ નથી. CM શિંદેએ બેઠકમાં કહ્યું, 'આ 'લાડલા ભાઈ' દિલ્હી આવી ગયા છે અને 'લાડલા ભાઈ' મારા માટે કોઈપણ પદ કરતા મોટા છે.'

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળ્યો હોવા છતાં સત્તારૂઢ BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી CM પદ માટે તેની પસંદગી નક્કી કરી નથી.

280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો, CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.