મહાયુતિની આજની બેઠક કેન્સલ, CM શિંદે પોતાના ગામ જવા નીકળી ગયા

મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પાછા ફરે તેવી શક્યતા છે.

આ પહેલા, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ, CM એકનાથ શિંદે, BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા માટે મોટી બેઠક યોજાવાની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, CM એકનાથ શિંદે અચાનક સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા પછી આ બેઠક ફરીથી યોજાશે અને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દેવેન્દ્ર ફડણવીસ, CM એકનાથ શિંદે અને અજિત પવાર સાથે અલગથી વાત કરી હતી. BJP અધ્યક્ષ JP નડ્ડા, NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, NCP સાંસદ સુનીલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી પરંતુ CMના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.

આ બેઠક પછી ત્રણેય CM એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક CM એકનાથ શિંદેએ કહ્યું છે કે, આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને JP નડ્ડાની સાથે મિટિંગ કરી હતી. CM શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે, જેમાં CMના નામ પર નિર્ણય લેવામાં આવશે.

આ અગાઉ, CM શિંદેએ ફરી વખત કહ્યું કે, CM પદ માટે કોઈ અવરોધો નથી અને 'લાડલા ભાઈ'એ એક શીર્ષક છે, જેનો અર્થ તેમના માટે અન્ય કંઈપણ કરતાં વધુ મહત્વ ધરાવે છે. મેં ગઈ કાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે, મહાયુતિના CMને લઈને કોઈ અવરોધ નથી. CM શિંદેએ બેઠકમાં કહ્યું, 'આ 'લાડલા ભાઈ' દિલ્હી આવી ગયા છે અને 'લાડલા ભાઈ' મારા માટે કોઈપણ પદ કરતા મોટા છે.'

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળ્યો હોવા છતાં સત્તારૂઢ BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી CM પદ માટે તેની પસંદગી નક્કી કરી નથી.

280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો, CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.

About The Author

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.