લાંચખોરો સામે CBIની કાર્યવાહી, આ જગ્યાએથી મળ્યો નોટોનો ઢગ

CBIએ નોર્ધન ફિલફીલ્ડ્સ લિમિટેડના અધિકારીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી લગભગ 4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચત કરતા CBIએ 17 ઑગસ્ટની તપાસ દરમિયાન તેમના આવાસ પરથી 3.86 કરોડ રૂપિયા રોકડ જપ્ત થયા બાદ નોર્ધન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL)ના સંચાલક (સચિવાલય) અને CMDના અંગત સચિવ સૂબેદાર ઓઝાની ધરપકડ કરી. આ રકમ કથિત રૂપે સિંગરોલી સ્થિત NCLમાં તેમના સંચાલન માટે ઘણા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસેથી એકત્ર કરવામાં આવી હતી.

CBIએ મધ્ય પ્રદેશના સિંગરોલી સ્થિત મેસર્સ સંગમ એન્જિનિયરિંગના વચેટિયા અને માલિક રવિશંકર સિંહની પણ ધરપકડ કરી છે. જે કથિત રૂપે વિભિન્ન કોન્ટ્રાક્ટરો/વેપારીઓ અને NCLના ઘણા અધિકારીઓ વચ્ચે મધ્યસ્થ રૂપે કામ કરી રહ્યા હતા. આરોપ છે કે તે NCLના આ અધિકારીઓને લાંચ પહોંચાડવા અને તેમને સુવિધા પ્રદાન કરી રહ્યા હતા. મધ્ય પ્રદેશના સિંગરોલી સ્થિત મેસર્સ સંગમ એન્જિનિયરિંગના રવિશંકર સિંહના સહયોગી દિવેશ સિંહ પણ CBIમાં તેમની વિરુદ્ધ પેન્ડિંગ ફરિયાદોના કેસમાં અનુકૂળ રિપોર્ટ પ્રાપ્ત કરવાના ચક્કરમાં CBIમાં ACB, પોલીસ અધિક્ષક જોય જોસેફ દામલેને 5 લાખ રૂપિયાની લાંચ આપતા રંગે હાથ ઝડપાયા.

રવિશંકર સિંહ અને તેમના સહયોગી, NCLના અધિકારીઓ અને જે.જે. દામલે વચ્ચે વેચેટિયાના રૂપમાં કામ કરી રહ્યા હતા અને તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે 16 ઑગસ્ટે રવિશંકર સિંહના નિર્દેશ પર કર્મચારી અજય વર્માએ સિંગરોલીના મુખ્ય સંચાલક (પ્રશાસન) NCL, લેફ્ટિનેન્ટ કર્નલ વસંત કુમાર સિંહ (સેવાનિવૃત) પાસેથી 5 લાખ રૂપિયાનો ઉપરોક્ત ઉચિત લાભ પ્રાપ્ત કર્યો. લાંચની રકમ કથિત રૂપે સૂબેદાર ઓઝા દ્વારા મોકલવામાં આવી હતી અને 17 ઑગસ્ટે રવિશંકર સિંહે દિવેશ સિંહને આ રકમ ACB જબલપુર, CBIના ડેપ્યુટી SP જે.જે. દામલે સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો.

આ અગાઉ PC એક્ટ (જેમ કે 2018માં સંશોધિત)ની કલમ 7, 7(A), 8 સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) હેઠળ એક નિયમિત કેસ, રવિશંકર સિંહ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. લેફ્ટિનેન્ટ કર્નલ વસંત કુમાર સિંહ, સૂબેદાર ઓઝા, દિવેશ સિંહ અને જોય જોસેફ દમલે, અન્ય અધિકારી અને અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.