664 વર્ષ પહેલા 12 જાતિઓએ મળીને ગામ વસાવ્યું, હવે બધા લોકોની એક જ સરનેમ

રાજસ્થાનના કરોલી, જોધપુર અને ભીલવાડામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વચ્ચે નાગોરનું ઈનાણા ગામ સાંપ્રદાયિક અને જાતિગત સદ્ભાવની મિસાલ છે. આ ગામના લોકો પોતાના નામની આગળ જાતિ નહીં, ગામના નામ પરથી બનેલી સરનેમ ઈનાણિયાં જ લગાવે છે. PHEDમાંથી સેવાનિવૃત્ત પુખરામ ઈનાણિયાં જણાવે છે, અમારા ગામનું નામ છે ઈનાણા અને અહીંના લોકો પોતાના નામની આગળ ઈનાણિયાં જ લગાવે છે, જેથી સદ્ભાવ કાયમ રહે. આ ગામમાં તમને કોઈપણ દુકાનમાં ગુટખા નહીં મળશે અને અહીં દારૂની એક પણ દુકાન નથી. અહીં ઘણા ઓછાં ઘર મુસ્લિમ સમાજના છે, પરંતુ સૌ એવી રીતે હળીમળીને રહે છે જેમ કે એક જ સમાજના હોય.

પુખરામ જણાવે છે, ગામ 1358માં શોભરાજના દીકરા ઈંદરસિંહે વસાવ્યું. અહીં 12 ગામમાં 12 જાતિઓ હતી. સૌને ભેગા કરીને ઈનાણા બનાવ્યું. આ નામ ઈંદરસિંહના નામ પરથી પડ્યું. ત્યારથી લોકો પોતાની જાતિની જગ્યાએ ઈનાણિયાં જ લખે છે. ઈંદરસિંહના બે અન્ય ભાઈ હતા, જે ગૌ રક્ષક હતા. તેમાં એક હદુહરપાલ ગાયોની રક્ષામાં શહીદ થઈ ગયા હતા, જેમને આખુ ગામ કુલદેવતાના રૂપમાં પૂજે છે. ગામમાં નાયક, મેઘવાલ, ખાતી, જાટ, કુમ્હાર, બ્રાહ્મણ, તેલી, લોહાર, ગોસ્વામી તેમજ મહાજન વગેરે જેટલી પણ જાતિઓ છે, મોટાભાગની પોતાના નામની સાથે ઈનાણિયાં જ લગાવે છે. 4400 વોટ, 10 હજારની આસપાસ વસતિ છે.

નાગોર SDM સુનીલ પંવારના જણાવ્યા અનુસાર, સરકારી સેવાઓનો લાભ જાતિ પ્રમાણપત્રથી મળી જાય છે. આધારકાર્ડમાં ભલે ઈનાણા લખ્યું છે, છતા પ્રોબ્લેમ નથી આવતો. મૂંડવા SHO રિછપાલસિંહ ચૌધરી જણાવે છે- ઈનાણામાં વિવાદ નથી થતો. જે થાય છે, તેને ગ્રામીણ સાથે મળીને સોલ્વ કરી લે છે. દારૂની તો કોઈ ફરિયાદ આજ સુધી નથી થઈ. સાર્વજનિક સ્થાન પર કોઈ દારૂ પીતું મળી જાય તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે અને તે પૈસા ગૌશાળામાં જાય છે. જે પણ નિર્ણય લેવામાં આવે છે તેને આખુ ગામ માને છે.

ઈનાણાની અન્ય વિશેષતાઓ

ડીજે બંધઃ અહીં 20 વર્ષથી ડીજે બંધ છે. ના લગ્નમાં લઈને જાય છે ના લઈને આવવા દે છે. કારણ, મુંગા પ્રાણીઓને તકલીફ થાય છે.

ઓઢાવણી-મૃત્યુભોજ બંધઃ 15 વર્ષથી ઓઢવાણી-મૃત્યુભોજ બંધ છે. માત્ર ગંગાપ્રસાદી કરે છે.

દારૂબંધીઃ ગામની સીમા 14 કિમી સુધી ફેલાયેલી છે અને અહીં એક પણ દારૂની દુકાન નથી.

ફટાકડા નથી ફોડતાઃ હોળી પર રંગ અને દીવાળી પર ફટાકડા પણ અહીંના લોકો શુકન તરીકે જ ફોડે છે.

સદ્ભાવઃ સાંવતરામ, પુખરામ, મુન્નારામ અને દયાલરામે જણાવ્યું કે સદ્ભાવ જ અમારી ઓળખ છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.