ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ કરવામાં આવી, 40 લોકોની ધરપકડ કરવામાં આવી અને મામલો લોકસભા સુધી પહોંચ્યો. આ વિરોધ ઇથેનોલ પ્લાન્ટના નિર્માણ સામે હતો, એમાં ખેડૂતોનું કહેવું છે કે, આનાથી ભૂગર્ભજળ પ્રદૂષિત થશે અને રાજસ્થાનના સૌથી ફળદ્રુપ પ્રદેશોમાંના એકમાં ખેતીને અસર કરશે.

ગયા અઠવાડિયે, પરિસ્થિતિ ત્યારે વધુ વણસી ગઈ, જ્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ બાંધકામ હેઠળના પ્લાન્ટની બાઉન્ડરી વૉલ તોડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો. આ ઘટના ખેડૂતોની એક મહાપંચાયત પછી બની, જેમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોના ખેડૂતોએ હાજરી આપી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અથડામણો ખૂબ હિંસક હતી. વિરોધીઓએ અનેક વાહનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી, જ્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. ખેડૂતોના સમર્થનમાં ઘટનાસ્થળે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયા પણ આ બનાવમાં ઘાયલ થયા હતા.

પ્લાન્ટ મેનેજમેન્ટની ફરિયાદના આધારે, 273 લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટિબ્બી સર્કલ ઓફિસરે 108 લોકો સામે અલગ FIR પણ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં, 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યો, એક ભૂતપૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતાઓનો સમાવેશ થાય છે.

ખેડૂત નેતાઓમાંના એક જગજીત સિંહ જગ્ગીએ જણાવ્યું હતું કે, 17 ડિસેમ્બરે અખિલ ભારતીય કિસાન સભા અને સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ બીજી મહાપંચાયત બોલાવવામાં આવશે. રાકેશ ટિકૈત સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

03

જોકે, મુખ્ય મુદ્દાઓ પર ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે 'કરાર' થયા બાદ શુક્રવારે રાત્રે વિરોધ 'મુલતવી' રાખવામાં આવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, મહાપંચાયત તેમ છતાં સમયપત્રક મુજબ યોજાશે.

પ્રસ્તાવિત 40 મેગાવોટ અનાજ આધારિત ઇથેનોલ ફેક્ટરીનું નિર્માણ ચંદીગઢ સ્થિત કંપની ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે 2020માં નોંધાયેલ છે. કંપની કહે છે કે, આ પ્લાન્ટ કેન્દ્ર સરકારના ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમને ટેકો આપશે. પરંતુ, સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને ખેડૂતોને ડર છે કે તે પ્રદૂષણનું કારણ બનશે, ખાસ કરીને ભૂગર્ભજળને અસર કરશે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, વારંવાર કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ કંપનીના અધિકારીઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા, પરંતુ સરકારી અધિકારીઓએ ખાતરી આપી છે કે, પ્લાન્ટ કોઈ પ્રદૂષણ નહીં કરે.

રાજસ્થાન સરકારના મંત્રીઓ સુમિત ગોદારા અને જોગારામ પટેલે આરોપ લગાવ્યો હતો કે, વિરોધ પ્રદર્શન સરકારના રાજકીય વિરોધીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે.

જોગારામ પટેલે કહ્યું, 'કોંગ્રેસના નેતાઓએ આને રાજકીય મુદ્દો બનાવ્યો છે. આ ખેડૂત આંદોલન નથી, પરંતુ વિપક્ષ દ્વારા રચવામાં આવેલું કાવતરું છે, જે વિસ્તારમાં તણાવ પેદા કરવા માંગે છે. સરકાર વાતચીત માટે તૈયાર છે અને બધી કાયદેસર માંગણીઓ પર વિચાર કરશે, પરંતુ લોકોએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ.'

કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ફેક્ટરી માટે જમીન અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક સમજૂતી કરાર (MoU) દ્વારા ફાળવવામાં આવી હતી, પરંતુ હવે તે જ પક્ષના ધારાસભ્યો 'ખેડૂતોને ઉશ્કેરીને ફેક્ટરી પરના હુમલાનું નેતૃત્વ કરી રહ્યા છે.'

02

આ દરમિયાન, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ અને કોંગ્રેસના સાંસદ કુલદીપ ઇન્દોરાએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. શૂન્ય કલાક દરમિયાન, બેનીવાલે વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો. બંને સાંસદોએ ફેક્ટરી દ્વારા થતા પ્રદૂષણ, ફળદ્રુપ જમીનના નુકસાન અને પાણીની નબળી ગુણવત્તા અંગે ખેડૂતોની ચિંતાઓને ફરીથી રજુ કરી હતી.

સપ્ટેમ્બર 2024માં આ પ્લાન્ટ સામે વિરોધ શરૂ થયો હતો. જુલાઈ 2025માં જ્યારે કંપનીએ બાઉન્ડરી વૉલ બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે વધુ તીવ્ર બન્યું. નવેમ્બરથી પોલીસ સુરક્ષા હેઠળ ફેક્ટરીનું બાંધકામ ચાલુ છે.

ખેડૂતોએ 10 ડિસેમ્બરે મહાપંચાયત બોલાવી હતી, ત્યારપછી આશરે 6,000 લોકો ટ્રેક્ટર સાથે ફેક્ટરી વિસ્તાર તરફ કૂચ કરી અને બાઉન્ડરી વૉલ તોડી નાખી. આના કારણે પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું.

અખિલ ભારતીય કિસાન સભાના સભ્ય મંગેશ ચૌધરીએ દાવો કર્યો હતો કે, 'અમે શરૂઆતથી જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે તૈયાર હતા. પરંતુ સરકારે અમારી સાથે વાત કરવા માટે કોઈને મોકલ્યા નહીં, તેના બદલે અમને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. 9 ડિસેમ્બરની રાત્રે, અમારા કાર્યકરોને તેમના ઘરેથી ધરપકડ કરી લીધા હતા.'

પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, વહીવટીતંત્રે આ વિસ્તારમાં આશરે 500 પોલીસ કર્મચારીઓ અને બોર્ડર હોમગાર્ડ્સને તૈનાત કર્યા. જયપુરથી પોલીસ અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

ADG (કાયદો અને વ્યવસ્થા) V.K. સિંહના જણાવ્યા અનુસાર, 'પરિસ્થિતિને નિયંત્રિત રાખવા માટે દળો બોલાવવામાં આવ્યા છે અને શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. ચિંતા કરવાની કોઈ વાત નથી. ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. ફેક્ટરી સ્થળ પર કોઈ નથી અને તેને સુરક્ષિત કરવામાં આવ્યું છે.'

04

ધરપકડના ડરથી, ઘણા વિરોધીઓ હવે તેમના ઘર છોડીને ટિબ્બી ગુરુદ્વારામાં રહેવા લાગ્યા છે.

હનુમાનગઢના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી માંગીલાલ ચિમ્પાના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બરની અથડામણ પછી 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શુક્રવાર સુધીમાં તેમને રજા આપવામાં આવી હતી.

હજુ પણ પોલીસ અને અન્ય સુરક્ષા દળો ફેક્ટરી પરિસરમાં તૈનાત છે. આઠ કલાકની શિફ્ટમાં તૈનાત હોમગાર્ડ કર્મચારીઓએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, અથડામણના દિવસે ટોળું હિંસક બન્યું હતું.

એક હોમગાર્ડે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'તેઓએ વાહનો સળગાવી દીધા અને બધું તોડફોડ કરી. ટોળામાં ઘણા ગુંડાઓ પણ હતા. તેમણે જનરેટર ચલાવવા માટે ફેક્ટરી પરિસરમાં સંગ્રહિત ડીઝલ બહાર કાઢ્યું અને તેને વાહનો અને ફેક્ટરી ઓફિસ પર છાંટી દીધું. ઓફિસની અંદર એક અધિકારી પણ હાજર હતો, જેને બાલ્કનીમાંથી બચાવીને બહાર નીકાળવામાં આવ્યા હતા.'

જોકે, વિરોધીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ખેડૂત નેતા રામેશ્વર વર્મા અને અન્ય વિરોધીઓનો દાવો છે કે, ફેક્ટરી કામદારોએ ખેડૂતો પર દોષ ઢોળવા માટે વાહનો સળગાવી દીધા હતા.

About The Author

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.