બિહારમાં શીતળા માતાના મંદિરમાં પૂજા દરમિયાન ભાગદોડ, 8 મહિલાઓએ ગુમાવ્યા જીવ, CMએ વળતરની કરી જાહેરાત

બિહારના નાલંદા જિલ્લામાં શીતળા માતાના મંદિરમાં ભાગદોડ મચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભાગદોડમાં 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. આ ઘટના નાલંદા જિલ્લાના દીપનગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે.

પીડિતોમાંથી બેની ઓળખ શકુન્ત બિહારની રહેવાસી દિનેશ રજકની પત્ની રીતા દેવી (ઉં.વ. 50) અને નૂરસરાયના મથુરાપુરના રહેવાસી કમલેશ પ્રસાદની પત્ની રેખા દેવી (ઉં.વ. 45) તરીકે થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને 6-6 લાખનું વળતર જાહેર કર્યું છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડેલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર છે. આને લઇને, મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ મંદિર બિહારશરીફ (નાલંદા) થી આશરે 5 કિલોમીટર દૂર મઘડા ગામમાં આવેલું છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે (શીતળા અષ્ટમી) મુખ્ય પૂજા થાય છે. પરંપરા છે કે, શીતળા અષ્ટમીના દિવસે ઘરોમાં ચૂલા સળગાવવામાં આવતા નથી; ભક્તો માતાને એક દિવસ અગાઉ બનેલા ઠંડા ભોજનનો ભોગ લગાવે છે. અષ્ટમીના દિવસે અહીં ભારે ભીડ જોવા મળે છે, લોકો દેવીના દર્શન  માટે લાંબી લાઇન લગાવે છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ નાલંદા ભાગદોડ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે નાલંદા મુખ્યમંત્રી નીતિશ કુમારનો ગૃહ જિલ્લો પણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના આશ્રિતો માટે દરેકને 6-6 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફથી પ્રત્યેકને 4-4 લાખ આપવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી વધારાના 2-2 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

nitish-kumar
ndtv.in

સમ્રાટ ચૌધરીએ X પરની એક પોસ્ટમાં આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી તમામ શોકગ્રસ્ત પરિવારોને રાહત આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોની યોગ્ય તબીબી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

About The Author

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.