નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કે, નીતિશ કુમારના ગયા પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે?

JDUના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારે રાજ્યસભા બેઠક માટે પોતાનું નામાંકન તૈયાર કરી લીધું છે. પાર્ટીએ નીતિશના નામાંકન માટે તમામ દસ્તાવેજો તૈયાર કરી લીધા છે, અને તેઓ આજે પોતાનું નામાંકન દાખલ કરશે. એવા પણ સમાચાર છે કે નીતિશ કુમાર 16 માર્ચ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. તેઓ 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણીઓ થાય ત્યાં સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે.

nitish-kumar2
facebook.com/NitishKumarJDU

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે પોતાનો દબદબો કાયમ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની JDU 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-RV), જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLMએ પણ NDA ગઠબંધનમાં ફાળો આપ્યો હતો.

નીતિશ કુમાર પછી બિહારના મુખ્યમંત્રી કોણ બનશે?

એવામાં સ્પષ્ટ છે કે, બિહારની સત્તામાં ભાજપનો દબદબો સર્વોપરી છે. આ જ કારણ છે કે નીતિશ કુમાર બાદ ભાજપ રાજ્યની બાગડોર સંભાળી શકે છે. જો આવું થાય તો તે બિહારના ઇતિહાસમાં એક મોટો વળાંક હશે, કારણ કે લાંબા સમય બાદ કોઈ ભાજપ નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજશે.

nitish-kumar
facebook.com/NitishKumarJDU

સૂત્રો અનુસાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને પણ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી મળવાની છે. તેમને બિહારના નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ભારતીય બંધારણ કહે છે કે, કોઈ પણ વ્યક્તિ એક સાથે સંસદના બે ગૃહોના સભ્ય નહીં રહી શકે. નીતિશ કુમાર હાલમાં બિહાર વિધાનસભાના સભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી છે. જો તેઓ રાજ્યસભામાં ચૂંટાય છે, તો તેમણે બિહાર વિધાનસભાનું સભ્યપદ છોડીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે.

જો મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો ટેક્નિકલી રૂપે સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું માનવામાં આવે છે. એટલે, પદ એકવાર ખાલી થઈ ગયા બાદ સત્તાધારી ગઠબંધન (NDA)એ પોતાના નવા નેતાને ફરીથી ચૂંટવા પડશે. હવે આ નેતા ભાજપ પણ હોય શકે છે અને JDUમાંથી પણ હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.