રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા એક જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે. AAPના 7 સાંસદોના એક જૂથે ગયા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. AAPએ આ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે આ જૂથના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભા સચિવાલયે આ સંદર્ભમાં એક અધિસૂચના પણ જાહેર કરી છે.

બળવાખોર જૂથના વિલીનીકરણ સાથે જ ભાજપમાં રાજ્યસભામાં વધુ શક્તિશાળી બની ગઇ છે, અને તેની સભ્ય સંખ્યા પણ વધી ગઇ છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા હવે 113 થઈ ગઈ છે. તેનાથી વિપરીત, ગયા અઠવાડિયા સુધી 7 સાંસદોવાળી AAP પાસે હવે ફક્ત 3 સાંસદો બાકી રહી ગયા છે. AAP છોડી ગયેલા 7 સાંસદોમાંથી 6 પંજાબથી રાજ્યસભાના સભ્ય છે.

22

ગયા શુક્રવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા અને સ્વાતિ માલીવાલ એકસાથે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. પાર્ટી છોડતા આ સાંસદોએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. તો, AAPના અન્ય એક સાંસદ બલબીર સિંહ સીચેવાલનો દાવો છે કે રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ તેમની સાથે આઝાદ જૂથમાં જોડાવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી.

આ ઘટનાક્રમ અગાઉ, AAP સાંસદ સંજય સિંહે રવિવારે અધ્યક્ષ રાધાકૃષ્ણનને પત્ર લખીને ઉપલા ગૃહના 7 સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અનુરોધ કર્યો હતો, જેમણે તાજેતરમાં AAP છોડીને ભાજપમાં વિલયની જાહેરાત કરી હતી. સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ 7 રાજ્યસભા સભ્યો દ્વારા લેવામાં આવેલું પગલું પક્ષપલટા સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરીયાત પડવા પર પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

23

AAPએ પાર્ટી છોડનારા સાત સાંસદોનું સભ્યપદ સમાપ્ત કરવા વિનંતી કરી છે, અને દાવો કર્યો છે કે આ સાંસદો AAP ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ ત્યારબાદ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સંજય સિંહે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશને લગતા કેસો સહિત સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પક્ષપલટાના આવા કિસ્સાઓમાં કયા પ્રકારે તેમના પદ પરથી ગેરલાયક ઠેરવી શકાય છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર 29 એપ્રિલ, 2026ના મતદાન થવાનું છે. આને ધ્યાનમાં રાખતા આજે (27 એપ્રિલ...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પ્રેમ, પૈસા અને છેતરપિંડી... વિશ્વાસ જીત્યો, પેન્શન લૂંટ્યું, અને પછી બીજા લગ્ન કરી લીધા, આરોપીની ધરપકડ

ઝારખંડના સિમડેગાથી પ્રેમ, પૈસા અને છેતરપિંડીની એક કહાની બહાર આવી છે, જેણે વિશ્વાસના પાયાને હચમચાવી નાખ્યો છે. આ એક...
National 
પ્રેમ, પૈસા અને છેતરપિંડી... વિશ્વાસ જીત્યો, પેન્શન લૂંટ્યું, અને પછી બીજા લગ્ન કરી લીધા, આરોપીની ધરપકડ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજ પર એવું શું નિવેદન આપ્યું કે બાદમાં માફી માંગવી પડી?

અભિનેતા-ફિલ્મ નિર્માતા રિતેશ દેશમુખે કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓ પર તીખી પ્રતિક્રિયા આપી...
National 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજ પર એવું શું નિવેદન આપ્યું કે બાદમાં માફી માંગવી પડી?

રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા એક જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે. AAPના ...
Politics 
રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.