જાનમાં 50થી વધારે લોકો નહીં અને આટલા જ પકવાન, સંસદમાં બિલ રજૂ થયુ

કોઇ પણ પરિવાર માટે દીકરા કે દીકરાના લગ્નનો પ્રસંગ ખુબ જ મહત્ત્વ ધરાવે છે અને દરેક પરિવાર ઇચ્છે છે કે તેમના સંતાનોના ધામધૂમથી લગ્ન થાય. પરંતુ એવું ઘણી વખત જોવા મળે છે કે બીજાની દેખાદેખીમાં એવા પરિવારો પણ લગ્નમાં આંધળુકિયા કરે છે, જેમની મોટો ખર્ચ કરવાની ક્ષમતા હોતી નથી. સમાજમાં નામ ઉંચુ રાખવા પછી પરિવાર લોન કે લોકો પાસેથી ઉછીના લઇને પછી ખુંવાર થઇ જાય છે. લગ્નોમાં થતા બિનજરૂરી ખર્ચા રોકવા માટે કોંગ્રેસના એક સાંસદે સંસદમાં બિલ રજૂ કર્યું છે. લગ્નમાં ખર્ચા ઘટાડવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

પંજાબના ખડુર સાહિબથી કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રર્જૂ કર્યું છે જે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ મુકવાના આશયથી રજૂ કરવામાં આવ્યું. શુક્રવાર, 4 ઓગસ્ટે સંસદમાં રજૂ થયેલા આ બિલમાં વરઘોડા કે જાનમાં માત્ર 50 લોકોને જ બોલાવી શકે જેવા નિયમો લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે.

આ બિલને Prevention of Wasteful Expenditure on Special Occasions Bill નામ આપવામાં આવ્યું છે. મતલબ કે ખાસ અવસર પર થતા ખોટા ખર્ચા રોકવા માટેનું બિલ. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન દરમિયાન જાનમાં માત્ર 50 લોકોને જ બોલાવી શકાશે, 10થી વધારે મિઠાઇઓ ન રાખી શકાશે અને શગૂન તરીકે 2500 રૂપિયાથી વધારે રકમ આપી શકાશે નહી.

સંસદમાં રજૂ કરવામાં આવેલું આ બિલ શુભપ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગો દરમિયાન બિનજરૂરી ખર્ચોને ઘટાડવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલમાં અનેક જોગવાઇઓ રજૂ કરવામાં આવી છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લગ્નમાં લેવાને બદલે ગરીબો, જરૂરિયાત મંદ લોકો, અનાથ અને સમાજના નબળા વર્ગના લોકોને આ રકમ દાનમાં આપવી જોઇએ.

સાંસદે પોતે કહ્યું કે લગ્ન પર થતા ખર્ચને રોકવા માટે આ બિલ લાવવાની જરૂર કેમ પડી. તેમણે કહ્યું કે તેનો હેતુ લગ્નોમાં ખોટા ખર્ચા કરવાની સંસ્કૃતિને ખતમ કરવાનો છે કારણ કે તે છોકરીના પરિવાર પર ઘણો બોજ નાખે છે. તેમણે કહ્યું, મને એવી ઘણી ઘટનાઓ વિશે જાણવા મળ્યું જેમાં લોકોએ પોતાની જમીન અને ઘર વેચવું પડ્યું હતું અથવા તેમની દીકરીઓના લગ્ન માટે બેંકોમાંથી લોન લેવી પડી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.