રૂ.100માં ભાડે મકાન આપ્યું, એવું થયું કે માલિકે 58 વર્ષ સુધી કોર્ટમાં જવું પડ્યુ

1960માં નૌકાદળના કેપ્ટનને ઘર ભાડે આપવું મોંઘુ સાબિત થયું. તેણે એરફોર્સના નિવૃત્ત અધિકારીની પત્નીને દર મહિને 100 રૂપિયામાં પોતાનું ઘર ભાડે આપ્યું હતું. હવે 58 વર્ષ પછી તેને તેના ઘરનો કબજો પાછો મળી શકશે.

દેહરાદૂનના નૈનીતાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં નેવી કેપ્ટન 100 રૂપિયામાં ભાડા પર ઘર આપીને ફસાઈ ગયા. હવે 58 વર્ષ પછી તેને તેના ઘરનો માલિકી હક્ક પાછો મળ્યો છે. આ કેસ 1960માં શરૂ થયો હતો. જ્યારે મૃદુલ શાહ (53)ને રોઝ બેંક કોટેજનો વારસો આપવામાં આવ્યો હતો. જે એરફોર્સના નિવૃત્ત અધિકારીની પત્ની નીલમ સિંહના પરિવારને દર મહિને 100 રૂપિયાના ભાડા પર આપવામાં આવી હતી. એ બંગલા પર નીલમ સિંહના પરિવારનો કબજો હતો. 58 વર્ષ પછી કોર્ટના નિર્ણયથી મૃદુલ શાહને તેમના ઘરનો કબજો પાછો મળ્યો છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા સમાચાર અનુસાર, મૃદુલ શાહે વર્ષ 2016માં ભાડુઆતને ઘર ખાલી કરવા કહ્યું હતું. આ દરમિયાન મૃદુલ શાહે કહ્યું હતું કે નેવીમાં 23 વર્ષની સેવા કર્યા પછી તેમને તેમના પરિવાર માટે ઘરની જરૂર છે. આ પછી પણ નીલમ સિંહના પરિવારે ઘર ખાલી કર્યું ન હતું. ત્યાર પછી તેમણે સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મૃદુલ શાહે 2017માં સિવિલ કેસ જીત્યો હતો, પરંતુ નીલમ સિંહે આ નિર્ણયને નૈનીતાલ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પછી નૌકાદળ અધિકારીના વકીલ નીરજ શાહે જણાવ્યું કે, રોઝ બેંક કોટેજ 1966માં હરપાલ સિંહને ભાડે આપવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્ની અને પુત્રી ત્યાં જ રહ્યા. માતાના અવસાન બાદ પુત્રી નીલમ ભાડુઆત બની ગઈ હતી. મૃદુલ શાહે કોર્ટને કહ્યું કે, આ મિલકત સિવાય તેની પાસે બીજું કોઈ ઘર નથી. તેમણે કહ્યું કે મેં ઘણી પોસ્ટ પર કામ કર્યું છે. હું મારા પરિવારને હંમેશા મારી સાથે રાખી શકતો ન હતો. મારે આ ઘરની જરૂર છે, જેથી મારો પરિવાર એક જગ્યાએ રહી શકે.

આ સાથે, ભાડુઆત પક્ષ નીલમ સિંહે અરજીમાં દલીલ કરી હતી કે, નૌકાદળ તેના કર્મચારીઓ માટે રહેણાંક સુવિધાઓ પ્રદાન કરે છે. મારા પરિવારને મિલકત પર રહેવા માટે વધુ સમયની જરૂર છે. દલીલો સાંભળ્યા પછી કોર્ટે મૃદુલ શાહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, મિલકતના માલિકને પોતાની વારસાનો તે ઇચ્છે તે રીતે ઉપયોગ કરવાનો અધિકાર છે. મિલકતનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભાડૂત નક્કી કરી શકતા નથી.

About The Author

Related Posts

Top News

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.