UPના એક મુસલમાનને રામ મંદિર માટે આમંત્રણ મળ્યુ તો ભાવૂક થઇ ગયા. 1992 વખતે...

ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રહેતા એક મુસ્લિમ જેમનું નામ મોહમંદ હબીબ છે તેમના ઘરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના કાર્યકરો અક્ષત આમંત્રણ લઇને પહોંચ્યા હતા. હબીબ આ આમંત્રણ જોઇને ભાવૂક થઇ ગયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

તેમણે 1992ના રામ મંદિર આંદોલનને યાદ કરીને કહ્યું હતું કે, હું પોતે પણ 50 કાર સેવકો સાથે અયોધ્યા ગયો હતો અને મારું પહેલેથી સપનું રહ્યું હતું કે અયોધ્યામા રામ મંદિર બને.

તેમણે કહ્યું કે હું ચોક્કસ અયોધ્યા પ્રભુ રામના દર્શન કરવા જઇશ અને એક વાર નહીં હું વારંવાર અયોધ્યા જઇશ.

અયોધ્યા રામ મંદિર માટે બનાવવામાં આવેલા ટ્ર્સ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્ર્સ્ટે 1 જાન્યુઆરીથી 5 લાખ ગામોમાં અક્ષત આમંત્રણ પહોંચાડવાના ટાર્ગેટ રાખ્યો છે. કાર્યકરો ગામે ગામ જઇને અક્ષત આમંત્રણ આપશે. આ આમંત્રણ આપીને લોકોને સમજાવાશે કે ભલે તમે અયોધ્યા ન આવી શકો, પરંતુ 22 જાન્યુઆરી 2024ના દિવસે તમારા નજીકના મંદિરમાં એક સાથે ભેગા થઇને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યકર્મમાં સામેલ થઇ શકશો.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.