4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં, BJP અહીં સત્તામાં છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં BJPએ મોટી જીત મેળવી અને અશોક ગેહલોતની સરકારને સત્તામાંથી દૂર કરી. વિધાનસભા ચૂંટણીમાં હાર સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે રાજ્ય કોંગ્રેસમાં પરિવર્તનની જરૂર છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વર્ષો જૂની રાજકીય દુશ્મનાવટ વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મેળવીને BJPને મોટો ઝટકો આપ્યો. કોંગ્રેસે તેના ગઠબંધન ભાગીદારો સાથે મળીને રાજ્યમાં 20માંથી 11 બેઠકો જીતી હતી.

જોકે, લોકસભા ચૂંટણી પછી, રાજસ્થાનનું રાજકારણ ફરી ઠંડુ પડી ગયું છે. કારણ કે રાજ્યમાં ચૂંટણી માટે હજુ ઘણો સમય બાકી છે. પરંતુ શનિવારે અચાનક આ ઠંડુ રાજકીય વાતાવરણ ઉનાળાની ગરમી જેવું થઇ ગયું, જ્યારે ખબર પડી કે સચિન પાયલટ અશોક ગેહલોતના ઘરે ગયા અને તેમને મળ્યા. એવું કહેવાય છે કે આ પહેલી વાર હતું જ્યારે સચિન પાયલટ અશોક ગેહલોતના ઘરે ગયા હતા.

Ashok-Gehlot-Sachin-Pilot1
bhaskar.com

રાજસ્થાનના રાજકારણમાં કોંગ્રેસમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે, કારણ કે જુલાઈ 2021 પછી ભૂતપૂર્વ CM અશોક ગેહલોત અને સચિન પાયલટ પહેલી વાર મળ્યા હતા. આ મુલાકાત લગભગ એક કલાક ચાલી હતી અને બંધ બારણે થયેલી બેઠકને કારણે નવી રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે.

હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલટ અશોક ગેહલોતને તેમના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ કાર્યક્રમમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન, રાજસ્થાનના આ બંને દિગ્ગજો વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત લાંબા સમય પછી થઈ છે. અશોક ગેહલોતે આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો અને લખ્યું કે AICC મહાસચિવ સચિન પાયલટ તેમને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ કાર્યક્રમમાં આમંત્રણ આપવા આવ્યા હતા જે તેમના નિવાસસ્થાને યોજાશે.

Ashok-Gehlot-Sachin-Pilot3
bhaskar.com

પોતાની પોસ્ટમાં, અશોક ગેહલોતે રાજેશ પાયલટ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા લખ્યું કે, રાજેશ પાયલટ અને હું 1980માં પહેલી વાર લોકસભામાં સાથે પહોંચ્યા અને લગભગ 18 વર્ષ સુધી સાંસદ રહ્યા. તેમનું અકાળ અવસાન આજે પણ આપણને દુઃખ આપે છે, તેમની વિદાય પાર્ટી માટે પણ મોટો ફટકો હતો.

બીજી તરફ, સચિન પાયલોટે પણ આ મુલાકાતનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે તેઓ ભૂતપૂર્વ CM અશોક ગેહલોતને મળ્યા હતા. 11 જૂને દૌસામાં પિતા સ્વર્ગસ્થ રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં તેમને આમંત્રણ આપ્યું હતું.

Ashok-Gehlot-Sachin-Pilot4
jagran.com

અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં રાજકીય સંકટ દરમિયાન, અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા હતા. બંનેની છેલ્લી મુલાકાત જુલાઈ 2021માં થઈ હતી. આવી સ્થિતિમાં, આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2023માં, કોંગ્રેસ BJP સામે વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી. રાજકીય વિશ્લેષકો એ પણ નિર્દેશ કરે છે કે બંને નેતાઓ વચ્ચેની કડવાશને કારણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું હતું અને પાર્ટી રાજ્યની સત્તા બચાવી શકી ન હતી.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.