એર ઇન્ડિયાના પાયલટ રતન ટાટાના દ્વારે, કહ્યું- કંપની સાંભળતી નથી, શું છે વિવાદ?

ટાટા જૂથની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાના પાયલોટોએ મંગળવારે પગાર માળખું બદલવાના મેનેજમેન્ટના નિર્ણય પછી આ સમસ્યાને ઉકેલવા માટે રતન ટાટાના હસ્તક્ષેપની માંગ કરી હતી. એર ઈન્ડિયાના 1,500 થી વધુ પાયલટો દ્વારા હસ્તાક્ષર કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે  હાલનું HR ડિપાર્મેટમેન્ટ પાયલોટોની ચિંતા સાંભળતુ નથી. એર ઈન્ડિયાએ 17 એપ્રિલે તેના પાયલોટ અને ક્રૂ મેમ્બર માટે વળતરનું સુધારેલું માળખું રજૂ કર્યું હતું.

જો કે, તેને Commercial Pilots Association of India  અને Indian Pilot Guild  આ બંને પાયલોટ એસોસિયેશન દ્વારા નવા માળખાને નકારી કાઢવામાં આવ્યું હતું. બંને યુનિયનોનું કહેવું છે કે એરલાઇન દ્વારા શ્રમ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને નવા કરાર કરતા પહેલા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. બંને યુનિયનોએ તેમના સભ્યોને સુધારેલા કરાર અને પગાર માળખા પર હસ્તાક્ષર ન કરવા અને એનો અસ્વીકાર કરવા કહ્યું છે.

પાયલોટોએ એ પછી રતન ટાટાને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા કામ અને ટાટા ગ્રુપમાં અમારા સ્થાનને લઇને ગર્વ મહેસુસ કરીએ છીએ. જો ક, અત્યારે અમારે HR વિભાગથી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે એ વાત સમજી શકીએ છીએ કે એર ઇન્ડિયાની સામે હજુ કેટલાંક જટિલ પડકારો છે અને એનો ઉકેલ લાવવા માટે અમે કંપનીની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ અમને લાગે છે કે અમારી ચિંતાઓને HR યોગ્ય રીતે સમજી શક્યું નથી.

એર ઇન્ડિયાએ 24 એપ્રિલે એક ટાઉન હોલ મીટિંગમાં કહ્યું હતું કે, સુધારેલી સેલરી સીસ્ટમ કાયદા હેઠળ જ છે. કંપનીએ કહ્યુ કે, કોન્ટ્રાક્ટમાં કોઇ પણ બદલાવ થયો છે તે કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યો છે. જો તમને કોઇ એવું કહી રહ્યું હોય કે નવી સીસ્ટમ કાયદાની બહાર છે તે તે બિલકુલ ખોટું છે.

સંશોધિત વળતર પ્રણાલી હેઠળ, એર ઈન્ડિયાએ ગેરેન્ટેડ ફ્લાઈંગ એલાઉન્સ 20 કલાકથી વધારીને 40 કલાક કર્યું છે. આ વિવાદનું મૂળ બની ગયું છે. ખરેખર, કોવિડ-19 રોગચાળા પહેલા ફ્લાઈંગ એલાઉન્સ 70 કલાકનું હતું. આ ઉપરાંત પાયલટોને તેમની સેવાના વર્ષોના આધારે કોન્ટ્રાક્ટમાં સર્વિસ રિવોર્ડ આપવામાં આવે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.