‘એક બદલો જે બાકી છે..’, આર્મી ચીફે બનાવી લીધો આગળનો પ્લાન, સુધરી જાય પાકિસ્તાન

ઓપરેશન સિંદૂરબાદ પાકિસ્તાન બોખલાયેલું છે. પાકિસ્તાની સેના સીમા પારથી સતત ગોળીબારી કરી રહી છે. પાકિસ્તાની સેનાએ ભારત પર ઘાતક હુમલાની ધમકી આપી છે. આ દરમિયાન, ગુપ્તચર માહિતી મળી છે કે પાકિસ્તાન આગામી થોડા કલાકોમાં મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ આ વખતે ભારત પૂરી તાકત અને રણનીતિ સાથે તૈયાર છે. આર્મી ચીફે પોતે આગળનો પ્લાન બનાવી લીધો છે, જે સ્પષ્ટ ઈશારો કરે છે કે બદલો બાકી છે.

Army-Commanders3
deccanherald.com

 

રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી  પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. તેઓ પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. સૈનિકોને સંપૂર્ણ ઓપરેશનલ ફ્રીડમ આપવામાં આવી છે જેથી પાકિસ્તાનની તોપો અને ગોળીબારીનો તાત્કાલિક અને યોગ્ય જવાબ આપી શકાય. ભારતીય સેના પણ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનને તેનો અંદાજો થઈ રહ્યો હશે.

રક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન નાગરિક વિસ્તારોને નિશાનો બનાવીને તોપોથી હુમલા કરી રહ્યું છે. ભારતીય સેના જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને સ્વતંત્ર છે. દુશ્મનને તેની દરેક હિમાકતનો એવો જવાબ આપવામાં આવશે કે તે આગામી વર્ષો સુધી યાદ રાખે. ભારત આ વખતે ન માત્ર જવાબ આપશે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરશે કે દુશ્મન આગામી વખત હુમલો કરતા પહેલા સો વખત વિચારશે.

Army-Commanders1
ap7am.com

 

પાકિસ્તાને આ ઉશ્કેરણીજનક કાર્યવાહી ભારતીય સેના દ્વારા પાક અધિકૃત કાશ્મીર (PoK)માં 5 આતંકવાદી ઠેકાણાઓ કરવામાં આવેલા સચોટ અને ઘાતક હુમલાઓ બાદ શરૂ કરી છે. આ હુમલાઓમાં, ત્રણેય સેનાઓના સંયુક્ત ઓપરેશનમાં 9 ટારગેટ તબાહ કરી દેવામાં આવ્યા. આ સ્થળોમાં બહાવલપુર, મુઝફ્ફરાબાદ, રાવલકોટ અને ચકવાલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જ, પાકિસ્તાને નાગરિક લક્ષ્યો પર તોપમારો ચાલુ કરી દીધો છે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.