'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં 'પ્રાર્થના દ્વારા ઉપચાર'ના બહાને લોકોને ધર્મ પરિવર્તન માટે લલચાવવાનો આરોપ છે. મ્યાના પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ પછી પાદરીઓ ઉત્તમ બરેલા અને વિકાસ બરેલા સામે FIR દાખલ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં ફરિયાદી બ્રિજેશ બૈરાગી જે કરોદ ગામના રહેવાસી છે, તેણે આ ઘટના જોયા પછી પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે આ મામલો વધુ આગળ વધ્યો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયા સૂત્રને જણાવ્યું, 'અમે આ કેસમાં ઉત્તમ બરેલાની ધરપકડ કરી છે. ફરિયાદી ગુનામાં એક રાઈટ વિંગનો સભ્ય છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.'

બ્રિજેશ બૈરાગીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 5 એપ્રિલે મોહનપુર ખુર્દમાંથી પસાર થતી વખતે, તેમણે એક તંબુમાં મોટી ભીડ એકઠી થતી જોઈ. એક 'પ્રાર્થના સભા' ચાલી રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે આરોપ લગાવ્યો હતો કે પાદરી લોકોના માથા પર હાથ મૂકી રહ્યા હતા, ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે, ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધા રાખવાથી કેન્સર સહિત ગંભીર બીમારીઓ મટી શકે છે.

મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આદિવાસી ગ્રામજનોને તબીબી સારવાર અને નાણાકીય સહાયના વચનો આપીને લલચાવી રહ્યા હતા. હાજર રહેલા લોકોને કથિત રીતે ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરશે, તો તેમની બીમારીઓ અસાધ્ય બનશે અને તેઓ કાયમ માટે પીડાશે. આરોપીઓએ કથિત રીતે ગ્રામજનોને ખાતરી આપી હતી કે, ધર્મ પરિવર્તન માટે તેમને પોતાનું નામ કે જાતિ બદલવાની જરૂર રહેશે નહીં, જેનાથી તેઓ સરકારી લાભો મેળવતા રહી શકશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મીટિંગમાં મોટી માત્રામાં માંસ અને ચિકન પીરસવામાં આવ્યું હતું, જેનો ફરિયાદીના મતે, હાજર રહેલા લોકોને લલચાવવા માટે લાલચ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન સામે આવેલા કાર્યક્રમના કથિત વીડિયો અને સ્થળ પરથી જપ્ત કરાયેલી વસ્તુઓને પુરાવા તરીકે સામેલ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, તપાસ ટીમ એ તપાસ કરી રહી છે કે, ગ્રામીણ વિસ્તારોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં કોઈ મોટું નેટવર્ક સામેલ છે કે નહીં.

પોલીસ અધિકારીએ કહ્યું, 'આરોપીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારા અથવા લાલચ કે બળજબરીથી લોકોનું ધર્માંતરણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.