'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં 'પ્રાર્થના દ્વારા ઉપચાર'ના બહાને લોકોને ધર્મ પરિવર્તન માટે લલચાવવાનો આરોપ છે. મ્યાના પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ પછી પાદરીઓ ઉત્તમ બરેલા અને વિકાસ બરેલા સામે FIR દાખલ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં ફરિયાદી બ્રિજેશ બૈરાગી જે કરોદ ગામના રહેવાસી છે, તેણે આ ઘટના જોયા પછી પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે આ મામલો વધુ આગળ વધ્યો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયા સૂત્રને જણાવ્યું, 'અમે આ કેસમાં ઉત્તમ બરેલાની ધરપકડ કરી છે. ફરિયાદી ગુનામાં એક રાઈટ વિંગનો સભ્ય છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.'

બ્રિજેશ બૈરાગીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 5 એપ્રિલે મોહનપુર ખુર્દમાંથી પસાર થતી વખતે, તેમણે એક તંબુમાં મોટી ભીડ એકઠી થતી જોઈ. એક 'પ્રાર્થના સભા' ચાલી રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે આરોપ લગાવ્યો હતો કે પાદરી લોકોના માથા પર હાથ મૂકી રહ્યા હતા, ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે, ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધા રાખવાથી કેન્સર સહિત ગંભીર બીમારીઓ મટી શકે છે.

મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આદિવાસી ગ્રામજનોને તબીબી સારવાર અને નાણાકીય સહાયના વચનો આપીને લલચાવી રહ્યા હતા. હાજર રહેલા લોકોને કથિત રીતે ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરશે, તો તેમની બીમારીઓ અસાધ્ય બનશે અને તેઓ કાયમ માટે પીડાશે. આરોપીઓએ કથિત રીતે ગ્રામજનોને ખાતરી આપી હતી કે, ધર્મ પરિવર્તન માટે તેમને પોતાનું નામ કે જાતિ બદલવાની જરૂર રહેશે નહીં, જેનાથી તેઓ સરકારી લાભો મેળવતા રહી શકશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મીટિંગમાં મોટી માત્રામાં માંસ અને ચિકન પીરસવામાં આવ્યું હતું, જેનો ફરિયાદીના મતે, હાજર રહેલા લોકોને લલચાવવા માટે લાલચ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન સામે આવેલા કાર્યક્રમના કથિત વીડિયો અને સ્થળ પરથી જપ્ત કરાયેલી વસ્તુઓને પુરાવા તરીકે સામેલ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, તપાસ ટીમ એ તપાસ કરી રહી છે કે, ગ્રામીણ વિસ્તારોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં કોઈ મોટું નેટવર્ક સામેલ છે કે નહીં.

પોલીસ અધિકારીએ કહ્યું, 'આરોપીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારા અથવા લાલચ કે બળજબરીથી લોકોનું ધર્માંતરણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

About The Author

Top News

સુરતમાં અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, ખાતા જ પરિવાર હોસ્પિટલમાં

સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં પ્રસાદ એક એવી આસ્થા સાથે વણાયેલી વસ્તુ છે કે તેનો સ્વીકાર કરવાનું ભાગ્યે જ કોઈ...
Gujarat 
સુરતમાં અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, ખાતા જ પરિવાર હોસ્પિટલમાં

ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે

(ઉત્કર્ષ પટેલ) અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય...
Opinion 
ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે

હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, બોલ્યા- ‘ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુઃખે છે અને દુઃખવું પણ જોઈએ..’

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ઉમેદવારો...
Gujarat 
હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, બોલ્યા- ‘ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુઃખે છે અને દુઃખવું પણ જોઈએ..’

ઘરમાં દીકરીના લગ્ન...રસોઈ બનાવવાની ચિંતા... પિતાએ DMને કરી વિનંતી અને 24 કલાકમાં 20 ગેસ સિલિન્ડર આવી ગયા

ઉત્તર પ્રદેશના સૌથી આધુનિક અને ઝડપથી વિકાસશીલ શહેરોમાંનું એક, નોઈડા-ગ્રેટર નોઈડા આ વિસ્તારમાં ગેસ સિલિન્ડરની તીવ્ર અછતે એક લાચાર...
National 
ઘરમાં દીકરીના લગ્ન...રસોઈ બનાવવાની ચિંતા... પિતાએ DMને કરી વિનંતી અને 24 કલાકમાં 20 ગેસ સિલિન્ડર આવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.