રાજીનામુ આપી દઉં કે જેલથી ચલાવું સરકાર? કેજરીવાલે જનતા પાસે માગ્યા સૂચનો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાને પૂછ્યું છે કે જો તેમની ધરપકડ થાય છે તો શું તેમણે મુખ્યમંત્રી બન્યા રહેવું જોઈએ કે હટી જવું જોઈએ. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને ઘેર ઘેર મોકલીને એ બતાવવા કહ્યું છે કે તેમણે શું કરવું જોઈએ. તેમણે પૂછ્યું છે કે જો કથિત આબકારીનીતિ કૌભાંડમાં તેમની ધરપકડ થાય છે તો તેઓ પોતાનું પદ છોડી દે કે જેલથી જ સરકાર ચલાવે.

કાર્યકર્તા ઘેર ઘેર જઈને લોકો સાથે સંપર્ક કરશે. એ સિવાય મોહલ્લામાં તેઓ નુક્કડ નાટક અને કેમ્પેઇન કરશે. સામાન્ય જનતા તેમને પોતાની સલાહ આપી શકે છે. પાર્ટી કાર્યકર્તા લોકોને એક ફોર્મ આપશે. આ ફોર્મને ભરીને જનતા પોતાની સલાહ આપી શકે છે. જ્યારે આખી દિલ્હીથી આ ફોર્મ પાર્ટી પાસે આવી જશે ત્યારે એ જોવામાં આવશે કે જનતાના શું સૂચનો છે. એ મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્ણય લેશે.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ લોકો પાસેથી સૂચન લે. જેમ જનતા કહેશે, તેઓ એવું જ કરશે. અરવિંદ કેજરીવાલને આશા છે કે જનતા તેમનું સમર્થન કરશે. તેમનું માનવું છે કે મફત વીજળી, પાણી અને સરકારી બસોમાં મહિલાઓને છૂટ, દિલ્હીની સરકારી શાળાઓની સારી વ્યવસ્થા જેવા ઘણા કાર્યોથી જનતા ખુશ છે અને તેઓ તેમને મુખ્યમંત્રી બન્યા રહેવા દેવા માગશે.

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. ED અરવિંદ કેજરીવાલ પાસેથી ઘણા પ્રકારની જાણકારીઓ ઈચ્છે છે. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની CBIએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. જો કે, અરવિંદ કેજરીવાલ આ કેસને કાલ્પનિક કહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.