પોતાના જ રાજ્યમાં CMને કબ્રસ્તાનની દિવાલ કૂદીને કેમ જવું પડ્યું, CM અબ્દુલ્લાએ કહ્યું- મારી સાથે ધક્કામુક્કી થઈ

જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા આજે ચાર બેરિકેડ તોડીને વાડ કૂદીને ભારે વહીવટી પ્રતિબંધો છતાં શ્રીનગરના નક્શબંદ સાહિબ દરગાહ ખાતે સ્થિત મઝાર-એ-શુહાદા (શહીદોના કબ્રસ્તાન) પહોંચ્યા, જેથી 13 જુલાઈ 1931ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકાય. ઓમરનો દાવો હતો કે, ગઈકાલે બંધ દરવાજા અને ભારે પોલીસ બંદોબસ્તને કારણે તેમને દરગાહમાં જતા અટકાવવામાં આવ્યા હતા.

આજે, સુરક્ષા અને વહીવટને જાણ કર્યા વિના, તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC)ના પ્રમુખ ડૉ. ફારુક અબ્દુલ્લા અને DyCM સુરિન્દર કુમાર ચૌધરી સહિત વરિષ્ઠ નેતાઓ સાથે કબ્રસ્તાનમાં પહોંચ્યા. CM ઓમરનો દાવો હતો કે પોલીસ અને CRPFએ તેમને નૌહાટા ચોકમાં વચ્ચે જ રોક્યા અને રસ્તા પર પોલીસ બંકર લગાવી દીધું હતું, પરંતુ તેઓ બળજબરીથી કબ્રસ્તાન તરફ આગળ વધ્યા. તેમણે કહ્યું કે દરગાહના દરવાજા બંધ હતા પરંતુ, તેઓ તેમના અન્ય નેતાઓ સાથે દરગાહની જાળીવાળી દિવાલ કૂદીને અંદર ગયા અને ફાતિહા વાંચીને 1931ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

02

કબ્રસ્તાનની બહાર મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં, CM અબ્દુલ્લાએ તેમને થયેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું અને કહ્યું, 'ગઈકાલે અમને અહીં આવીને ફાતિહા વાંચવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બધાને વહેલી સવારે તેમના ઘરમાં રાખવામાં આવ્યા હતા. મેં કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને ત્યાં જઈને ફાતિહા વાંચવાની ઇચ્છા વ્યક્ત કરી અને થોડીવારમાં જ મારા દરવાજા સામે બંકર મૂકી દેવામાં આવ્યા જે રાત્રે 12 વાગ્યા સુધી ત્યાં રહ્યું.'

CM ઓમરે પત્રકારોને કહ્યું, 'તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે લોકો દાવો કરે છે કે તેમની જવાબદારી ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, તેમના નિર્દેશ પર અમને શહીદોના કબ્રસ્તાનમાં 'ફાતિહા' વાંચવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે મેં કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું અહીં આવવા માંગુ છું, ત્યારે થોડીવારમાં મારા દરવાજા સામે બંકર મૂકી દેવામાં આવ્યું અને રાત્રે 12 વાગ્યા સુધી દરવાજો ખોલવામાં આવ્યો નહીં. તેમને આ ગેરસમજ છે કે, શહીદોની કબરો અહીં ફક્ત 13 જુલાઈએ જ છે. 13 જુલાઈએ નહીં, પણ 12, 14 ડિસેમ્બર, જાન્યુઆરીએ તો છે ને, શહીદો અહીં છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે અહીં આવીશું અને અમારા શહીદોને શ્રદ્ધાંજલિ આપીશું.

03

CM અબ્દુલ્લાએ વહીવટીતંત્રના આ પગલાની નિંદા કરી અને તેને લોકશાહીનું અપમાન ગણાવ્યું અને કહ્યું, 'બિનચૂંટાયેલી સરકારે મારો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો, મને નૌહટ્ટા ચોકમાંથી પગપાળા ચાલવા માટે મજબૂર કર્યો. તેમણે નક્શબંદ સાહિબ દરગાહનો દરવાજો પણ બંધ કરી દીધો અને મને દિવાલ કૂદવાની ફરજ પાડી.' તેમણે કહ્યું, 'આજે મેં તેમને જાણ કરી ન હતી પણ જુઓ કે તેઓ કેટલા બેશરમ છે, તેઓ અમને નૌહટ્ટા ચોક પર રોકવા માંગતા હતા અને CRPF અને પોલીસ બંકર પણ ઉભા કર્યા. તેઓએ અમને બળજબરીથી રોકવાનો પ્રયાસ કર્યો. તે પોલીસકર્મીઓ ક્યારેક ભૂલી જાય છે કે કાયદો શું છે. હું જાણવા માંગુ છું કે તેઓ કયા કાયદા હેઠળ અમને રોકવા માંગતા હતા. તેઓએ મારી સાથે ધક્કામુક્કી પણ કરી. તેઓએ અમારો ધ્વજ ફાડી નાખ્યો, પણ તેઓ અમને રોકી શક્યા નહીં. અમે અહીં પહોંચ્યા અને ફાતિહા વાંચી.'

કોઈનું નામ લીધા વિના, CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'તેઓ દાવો કરે છે કે, આ એક સ્વતંત્ર દેશ છે, પરંતુ ક્યારેક તેઓ એવું અનુભવ કરાવે છે કે અમે તેમના ગુલામ છીએ. અમે તેમને કહેવા માંગીએ છીએ કે, અમે તેમના ગુલામ નથી. અમે અમારા લોકોના ગુલામ છીએ.' પ્રતિબંધોને કાશ્મીરી ઇતિહાસને દબાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવતા તેમણે કહ્યું, 'આ અમારા ઇતિહાસને ભૂંસી નાખવા અને અમારા અવાજને દબાવવાનો પ્રયાસ છે. CM તરીકે, જો મને મારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દિવાલો પર ચઢવું પડે, તો તે સામાન્ય લોકો માટે લોકશાહીની સ્થિતિ વિશે શું કહે છે?'

ગઈકાલે, CM ઓમરે ઐતિહાસિક સમાનતાઓ બતાવતા અને 1931ના હત્યાકાંડની સરખામણી જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે કરી અને શહીદોના ચિત્રણની ટીકા કરતા કહ્યું, 'જે લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તેઓએ ડોગરા શાસન હેઠળ બ્રિટિશ શાસન સામે આવું કર્યું હતું. તે શરમજનક છે કે, અમારા અધિકારો માટે લડનારા સાચા નાયકોને આજે ફક્ત એટલા માટે ખલનાયક તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ મુસ્લિમ હતા.'

04

ગઈકાલે, અધિકારીઓએ શ્રીનગરમાં પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં રાજકીય નેતાઓને નજરકેદ કરવા, દરવાજા બંધ કરવા અને રસ્તાઓ પર બેરિકેડ લગાવવા સહિત લોકો અને નેતાઓને શહીદના કબ્રસ્તાનમાં પહોંચતા અટકાવવાનો સમાવેશ થાય છે. શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રે 12 જુલાઈ, 2025ના રોજ પબ્લિક એડવાઈઝરી બહાર પાડીને કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓનો ઉલ્લેખ કરીને કબ્રસ્તાનની મુલાકાત લેવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

2019માં કલમ 370 નાબૂદ થયા પછી 13 જુલાઈની જાહેર રજા રદ કરવામાં આવી હતી. આ પગલાથી ડોગરા મહારાજા હરિ સિંહના નિરંકુશ શાસન સામે વિરોધ કરનારા 1931ના શહીદોની સ્મૃતિ પર તણાવ વધ્યો છે. CM અબ્દુલ્લાના કાર્યો અને નિવેદનોએ શહીદ દિવસના ઐતિહાસિક મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. તેમની સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને ઔપચારિક રીતે 13 જુલાઈને જાહેર રજા તરીકે પુનઃસ્થાપિત કરવા વિનંતી પણ કરી છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.