‘ડીલ કરવી હોત તો શું 26 દિવસ સુધી....?’ કેમ ગુસ્સે થયા સોનમ વાંગચુક

કાર્યકર્તા સોનમ વાંગચુકે શુક્રવારે મોડી રાત્રે બીજો એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. તેમણે આ સંદેશમાં તેમની ભૂખ હડતાળ સમાપ્ત થયા પછી ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર સખત વાંધો વ્યક્ત કર્યો. વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળ્યા પછી તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.

sonam-wanghcuk3
indiatoday.in
sonam-wanghcuk1
indiatoday.in

ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લેવા પર તેમના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે, સોનમ વાંગચુકે સરકાર સાથે ડીલ કરી લીધી છે. સતત ઉઠી રહેલા આ પ્રશ્નો પર વાંગચુકે શુક્રવારે રાત્રે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, શું 26 દિવસની ભૂખ હડતાળ પછી પણ મારે પ્રામાણિકતા સાબિત કરવી પડશે?

નોંધનીય છે કે 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત થયા પછી એખ તરફ કેટલાક લોકો સોનમ વાંગચુકની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે. આના પર તેમની પત્ની, ગીતાંજલી જે. એંગ્મોએ પણ થોડા સમય પહેલા પ્રતિક્રિયા આપી હતી. ટીકાકારો પર નિશાન સાધતા, તેમણે કહ્યું કે, લોકોએ તેમના રાજકીય મૂલ્યાંકનોને એક ક્ષણ માટે થોભાવવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે વાંગચુકે આ આંદોલન માટે વ્યક્તિગત રીકે કેટલી મોટી કિંમત ચૂકવી છે.

sonam-wanghcuk3
theprint.in

ગીતાંજલિ આંગ્મોએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું કે, લાંબી ભૂખ હડતાળને કારણે સોનમ વાંગચુકનું 11 કિલો વજન ઘટી ગયું છે. તેમને હાલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનમ વાંગચુકની ટીકા કરતા પહેલા, લોકોએ સમજવું જોઈએ કે 26 દિવસ સુધી પોતાના કરતા કોઇ મોટા હેતુ માટે ભૂખ્યા રહેવાનું મહત્ત્વ સમજવું જોઇએ. તેઓ આજે ICUમાં છે. તેમનું 11 કિલો વજન ઘટાડી ગયું છે. જેમાં મસલ્સ માસ પણ સામેલ છે કારણ કે તેમણે આરામ કરતા ત્યાગ પસંદ કર્યો. આપણે પોતાની અપેક્ષાઓ અને રાજકીય મૂલ્યાંકનનો બોજ તેમના પર નાખતા પહેલા ઓછામાં ઓછા એક દિવસ માટે તેમને સહાનુભૂતિ બતાવી શકીએ છીએ.

About The Author

Related Posts

Top News

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને...
National 
પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...

કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી ત્રીજા રાઉન્ડની બેઠક બાદ પ્રદર્શનનું નેતૃત્વ કરી...
National 
વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.