સાલાસર બાલાજી ધામના દર્શનેથી આવતી પિકઅપ, ટ્રક સાથે અથડાતા 3 બાળકો સહિત 5ના મોત

રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં શનિવારે રાત્રે ટ્રક અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. સામસામે થયેલા જોરદાર ટક્કરમાં પિકઅપમાં સવાર 3 માસૂમ બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા છે. આ બધા લોકો સાલાસર બાલાજી ધામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, પિકઅપમાં સવાર બધા લોકો હિસાર (હરિયાણા)ની નજીક સયાડવાના રહેવાસી હતા. બધા લોકો પરિવાર સહિત સાલાસર બાલાજી ધામના દર્શન કરીને પાછા પોતાના ઘરે ફરી રહ્યા હતા, આ દરમિયાન આ અકસ્માત થઈ ગયો.

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે બધા શબોને રાજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મોર્ચરીમાં રખાવી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પરથી મળેલી જાણકારીના હિસાબે ટક્કર એટલી તેજ હતી કે ખૂબ દૂર સુધી તેનો અવાજ સંભળાયો. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલા લોકોએ પોલીસને તેની જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટનાસ્થળ પર દુર્ઘટનાની સ્થિતિ જોઈને લોકો પણ હેરાન રહી ગયા. ટ્રક સાથે ટકરાયેલી પિકઅપની હાલત એટલી ખરાબ હતી કે, લોકો પોતાના આંસુ ન રોકી શક્યા.

જિલ્લામાં સાદુલપુર તાલુકામાં આવેલા રતનપુર ગામમાં મોડી રાત્રે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 5 લોકોના મોત થવાથી ચારેય તરફ રોકકળ મચી ગઈ હતી. ટ્રક અને પિકઅપ ગાડીઓ વચ્ચે સામસામેની જોરદાર ટક્કર થઈ, આ ઘટનામાં પિકઅપ ગાડીમાં સવાર 3 બાળકોના પણ મોત થઈ ગયા. બધા લોકો હરિયાણા નજીક હિસાર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સયાડવા ગામના રહેવાસી હતા અને સાલાસર બાલાજી ધામના દર્શન કરીને ફરી રહ્યા હતા.

બીજી તરફ ઘટનાની જાણકારી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકો અને ઇજાગ્રસ્તોને પિકઅપમાંથી કાઢ્યા અને 108 હૉસ્પિટલ પહોંચાડ્યા. તો પોલીસે જાણકારી આપી કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ વિમલા (ઉંમર 63 વર્ષ), કૃષ્ણા (ઉંમર 60 વર્ષ), સરસ્વતી (ઉંમર 5 વર્ષ), અંકિત (ઉંમર 8 વર્ષ) અને અંજલિ (5 વર્ષ) તરીકે થઇ છે. આ બધા લોકોનું મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયું હતું. એ સિવાય અકસ્માતમાં સોનૂ ઓમ અને પ્રવીણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે, જેમની હૉસ્પિટલમાં સરવર ચાલી રહી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.