દિલ્હી ચાંદની ચોકથી ફ્રેન્ચ રાજદૂતનો ફોન ચોરાયો, પછી 48 કલાકમાં...

દિલ્હીમાં ચોરોનું મનોબળ ઉંચુ જણાય છે. ચાંદની ચોક સ્થિત જૈન મંદિરમાં દર્શન કરવા આવેલા ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉનો ફોન 20 ઓક્ટોબર રવિવારના રોજ ચોરો ચોરી ગયા હતા. રાજદૂતે દિલ્હી પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ચોરી થવો અને ખોવાઈ જવું એમ બંને એંગલથી તપાસ કરી રહી હતી. આ કેસમાં દિલ્હી પોલીસની ટીમે બુધવારે 4 લોકોની ધરપકડ કરી હતી.

જ્યારે ફ્રેન્ચ રાજદૂત ચાંદની ચોકમાં આવેલા જૈન મંદિરમાં ગયા હતા, ત્યારે કોઈએ તેમનો ફોન ચોરી લીધો હતો અથવા તે ખોવાઈ ગયો હતો. આ મામલાની માહિતી સામે આવ્યા પછી દિલ્હી પોલીસની ટીમ એ તપાસમાં વ્યસ્ત છે કે, મોબાઈલ ફોન કેવી રીતે ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો. પોલીસે ધરપકડ કરાયેલા ચારેય લોકોની પૂછપરછ કરી રહી છે.

એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, મથાઉ અને તેની પત્ની 20 ઓક્ટોબરે બજારમાં ગયા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમને 21 ઓક્ટોબરના રોજ દૂતાવાસમાંથી ઘટનાની માહિતી મળી હતી. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, 20થી 24 વર્ષની વયના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.

મોબાઈલ રિકવર કરીને ફ્રાન્સના રાજદૂતને પરત આપવામાં આવ્યો છે. દિલ્હીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ દિવસોમાં ચાંદની ચોકમાં દિવાળીની ખરીદી માટે ઘણા લોકો આવી રહ્યા છે. ભીડનો લાભ લઈને ચોરો લોકોના મોબાઈલ ફોન ચોરી રહ્યા છે.

આ દરમિયાન, દિલ્હી પોલીસે મોબાઇલ ટાવરમાંથી રિમોટ રેડિયો યુનિટની ચોરી કરીને વિદેશમાં વેચતા લોકોના મોટા નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. હોંગકોંગ જેવા દેશોમાં 5,000થી વધુ ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટ વેચવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે, ચોરાયેલા રિમોટ રેડિયો યુનિટની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. 700 રિમોટ રેડિયો યુનિટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તપાસ સાથે દિલ્હી પોલીસે RRU યુનિટ ચોરીના લગભગ 250 કેસ ઉકેલ્યા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. 23 જુલાઈ (બુધવાર)થી શરૂ...
Sports 
‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?
Copyright (c) Khabarchhe All Rights Reserved.