પ્રેમિકાએ કોબરા દ્વારા ડંખ મરાવી બોયફ્રેન્ડની હત્યા કરાવી

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંના જાણીતા હોટલ બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાની તપાસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં અંકિતની પ્રેમિકાએ જ તેની હત્યા કરાવી હતી. પ્રેમિકાએ સાપના ડંખથી અંકિતને મારવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તે સફળ રહી.

15 જુલાઈના રોજ એક કારની અંદર શંકાશીલ અવસ્થામાં અજ્ઞાત શવ પોલીસને મળી આવ્યું હતું. તપાસ પછી શવની ઓળખ હલ્દ્વાનીના વેપારી અંકિત ચૌહાણના રૂપમાં થઇ હતી. ઝેરી કોબરા દ્વારા અંકિતને મારવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, અંકિત માહીના ઘરે વારે વારે જતો હતો. જેથી માહી પરેશાન થઇ ગઇ હતી.

અંકિત ચૌહાણના મર્ડરની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે તેનો ખુલાસો કર્યો છે. નૈનીતાલના SSP પંકજ ભટ્ટે જણાવ્યું કે, રાજ્યમાં આ પ્રકારનો આ પહેલો મર્ડર કેસ છે. જેમાં સાપના ડંખ દ્વારા કોઈની હત્યા કરવામાં આવી છે. આ મર્ડર કેસમાં એક મહિલા સહિત પાંચ લોકો સામેલ છે. મહિલાનું નામ ડોલી ઉર્ફે માહી છે. જેને આ મર્ડરનું કાવતરુ રચ્યું હતું. અંકિતના પગમાં સાપ વડે ડંખ મરાવી તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક મદારીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો જે પોતાની સાથે સાપ લઇ આવ્યો હતો. પોલીસે મદારી રામનાથની ધરપકડ કરી છે.

મદારી રમેશ નાથે જણાવ્યું કે, અંકિતને દારૂ પીવડાવીને તેને બેભાન કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અન્ય લોકોએ તેના હાથ પગ પકડી લીધા હતા. ત્યાર પછી રમેશે અંકિતના પગમાં કોબરા દ્વારા ડંખ મરાવ્યો. 10 મિનિટ રાહ જોઇ. ત્યાર પછી ફરી એકવાર બીજા પગમાં ડંખ મરાવ્યો.

હલ્દ્વાનીના રામપુર રોડ પર કારની અંદર અંકિતનું શવ મળ્યા પછી 17 જુલાઈના રોજ પરિવારની મંજૂરીથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં આ કેસમાં માહી સહિત 4 લોકો ફરાર છે. SSP પંકજ ભટ્ટનું આ મર્ડરને લઇ કહેવું છે કે, મૃતક અંકિત ચૌહાણના માહી સાથે સંબંધ હતા. માહી ઘણાં સમયથી અંકિતને બ્લેકમેલ કરીને પૈસા વસૂલી રહી હતી. ત્યાર પછી માહી અંકિતથી પીછો છોડવવા માગતી હતી પણ અંકિત સતત માહીને મળી રહ્યો હતો. એવામાં માહીએ અંકિતની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ત્યાર પછી સાપ દ્વારા અંકિતને ડંખ મરાવી તેની હત્યાનું કાવતરુ રચ્યું હતું. માહી હજુ પણ ફરાર છે. પોલીસ તેની શોધમાં છે. અન્ય 4 લોકોને પણ પોલીસ શોધી રહી છે. 

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.