ટ્રમ્પના 25% ટેરિફ અંગે મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- '10-15 ટકા ટેરિફ પર ચર્ચા થઈ હતી, હવે...'

ગુરુવારે, લોકસભામાં, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 25 ટકા આયાત ડ્યુટી (ટેરિફ) વિશે વિગતવાર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્થાનિક ઉદ્યોગોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Piyush Goyal
thejbt.com

પીયૂષ ગોયલે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આયાત પર 10 થી 15 ટકા ટેરિફ અંગે ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચર્ચા થઈ હતી. ઘણી વર્ચ્યુઅલ બેઠકો પણ યોજાઈ હતી. અમે અમારા સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરીશું. અમે રાષ્ટ્રીય હિતમાં જરૂરી દરેક પગલું ભરીશું.

તેમણે કહ્યું કે વિશ્વના વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંના એક છીએ. અમેરિકાના આ પગલાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

Piyush Goyal
livehindustan.com

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું, 'સરકાર ઉદ્યોગપતિઓ સાથે વાત કરી રહી છે. અમે દેશને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લઈશું. અમે થોડા વર્ષોમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનીશું. અમારી નિકાસમાં વધારો થયો છે. અમે ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. સરકારને વિશ્વાસ છે કે, આપણે 2047 સુધીમાં વિકસિત દેશ બનીશું.'

તેમણે સંસદમાં કહ્યું કે, ભારત આજે પણ વૈશ્વિક અર્થતંત્રમાં 'ઉજ્જવળ સ્થાન' ધરાવે છે. સરકાર ખેડૂતો, MSME અને ઉદ્યોગસાહસિકોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરશે. દેશના વ્યાપારિક હિતોને નુકસાન ન થાય તે માટે અમે દરેક જરૂરી પગલાં લઈશું. ભારતે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી નિકાસને નવી ગતિ મળી છે. ભારત વૈશ્વિક વેપારમાં મજબૂત રીતે ઊભું રહેશે, અને સરકાર રાષ્ટ્રીય હિતમાં દરેક પડકારનો સામનો કરશે.

Piyush Goyal
jansatta.com

સરકારી સૂત્રો કહે છે કે, હાલમાં ભારત અમેરિકાના 25 ટકા ટેરિફના જવાબમાં કોઈ બદલો લેશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર આનાથી ગભરાઈ નથી. આનો જે પણ પ્રતિભાવ આપવાનો હશે તે શાંતિપૂર્ણ, વ્યૂહાત્મક અને ફક્ત વાતચીત દ્વારા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.