10 લાખની લાંચ લેતા IAS અધિકારીની ધરપકડ, ઘરમાં તેનાથી પણ મોટી રકમ મળી આવી!

ઓડિશામાં એક IAS અધિકારી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. એટલું જ નહીં, જ્યારે અધિકારીઓએ તેમના સરકારી નિવાસસ્થાનની તપાસ કરી ત્યારે ત્યાંથી 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટે આ માહિતી આપી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 2021 બેચના IAS ધીમન ચકમા (36) કાલાહાંડી જિલ્લાના ધરમગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, IASએ એક વેપારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પ્રથમ હપ્તા તરીકે, તેમણે કથિત રીતે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

IAS Officer Bribe
webmorcha.com

વેપારીએ દાવો કર્યો હતો કે જો તેમણે પૈસા નહીં ચૂકવ્યા તો તેમને કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી વેપારીએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ફરિયાદ નોંધાવી. અહેવાલ મુજબ, વિજિલન્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપી IAS અધિકારીએ ઉદ્યોગપતિને ધર્મગઢ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવ્યો હતો. તેણે લાંચની રકમ લીધી અને બંને હાથે નોટોના બંડલ તપાસ્યા હતા. આ પછી, તેણે આ રોકડ ઓફિસ ટેબલના ડ્રોઅરમાં રાખી હતી. હેન્ડ વોશ અને ટેબલના ડ્રોઅરને ધોવાથી રાસાયણિક પ્રતિક્રિયા થઈ અને આરોપી રંગેહાથ પકડાઈ ગયો.

ઓડિશા વિજિલન્સે જણાવ્યું હતું કે IASના નિવાસસ્થાને કરવામાં આવેલી શોધ દરમિયાન 47 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તેમણે આનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં રિકવર કરાયેલી રોકડ દેખાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ શોધ ચાલુ છે.

IAS Officer Bribe
uttarakhand24x7.com

2021 બેચના IAS ધીમન ચકમા (36) કાલાહાંડી જિલ્લાના ધરમગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ છે. તે ત્રિપુરાના કંચનપુરનો વતની છે. ચકમા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT), અગરતલાના કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક છે. ભારતીય વહીવટી સેવા (IAS)માં જોડાતા પહેલા, તે ઓડિશાના મયુરભંજમાં ભારતીય વન સેવા (IFS) અધિકારી તરીકે પોસ્ટેડ હતા.

ચકમા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડથી ઓડિશાના અમલદારશાહીમાં ખળભળાટ મચી ગયો છે અને આ ઘટના અંગે લોકોમાં રોષ છે.

IAS Officer Bribe
webmorcha.com

આ ઘટના દર્શાવે છે કે વ્યક્તિ ગમે તેટલો ઉચ્ચ હોદ્દો ધરાવે, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તકેદારી વિભાગની તત્પરતાની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

About The Author

Top News

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન...
Gujarat 
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક...
Charcha Patra 
હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને...
National 
એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા...
World 
ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.