મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમના લોક સેવા રેકોર્ડના આધારે લેવામાં આવ્યો હતો, કૌટુંબિક સંબંધોના આધારે નહીં.

કન્નુર જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ અને મંત્રીની બહેનના પતિ બેની થોમસને મંત્રીના વધારાના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે આ વિવાદ શરુ થયો હતો. વિપક્ષી CPI(M)ની આલોચનાનો જવાબ આપતા, મંત્રી જોસેફે કહ્યું કે, થોમસને તેમના અંગત સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા ન હતા કારણ કે તે તેમના એક સંબંધી હતા. મંત્રીએ પત્રકારોને જણાવ્યું કે, 'તેઓ એક સારા લોક સેવક છે.'

Sunny Joseph
newindianexpress.com

સની જોસેફે જણાવ્યું હતું કે, બેની થોમસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પેરાવુરમાં તેમના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે સેવા આપી હતી અને આ નિમણૂક પણ DCC પ્રમુખની ભલામણ પર આધારિત હતી. તેમણે ઉમેર્યું, 'બેની થોમસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પેરાવુરમાં મારા મુખ્ય ચૂંટણી પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેમની નિમણૂક પણ DCC પ્રમુખની ભલામણ પર કરવામાં આવી હતી.'

મંત્રીએ જણાવ્યું હતું કે, થોમસ પાસે પંચાયત સભ્ય તરીકે સેવા આપવા સહિત વ્યાપક જાહેર સેવાનો અનુભવ છે. જોસેફે કહ્યું, 'તેમણે વર્ષોથી જાહેર સેવા ક્ષેત્રમાં કામ કર્યું છે અને પંચાયત સભ્ય તરીકે પણ સેવા આપી છે.' બધા આરોપોને નકારી કાઢતા, મંત્રીએ કહ્યું કે, નિમણૂકમાં કોઈ કાનૂની અવરોધો નથી અને થોમસને એક આદર્શ જાહેર સેવક તરીકે વર્ણવ્યા. સની જોસેફે કહ્યું, 'મારી પાસે છુપાવવા માટે કંઈ ન હોવાથી, મેં તેમને અન્યત્ર નોકરી પર રાખવાને બદલે સીધા મારા અંગત સ્ટાફમાં નિયુક્ત કર્યા.'

Sunny Joseph
thehindu.com

આ અગાઉ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય આરોગ્ય પ્રધાન K. મુરલીધરને પણ નિમણૂકનો બચાવ કરતા કહ્યું હતું કે, સની જોસેફ દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ અગાઉ પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી ચૂકી છે. મુરલીધરને કહ્યું હતું કે, 'ભલે તેઓ સની જોસેફના સંબંધી હોય છતાં, તેમની પાસે રાજકીય અનુભવ અને રાજકીય પૃષ્ઠભૂમિ છે.'

મજાકમાં, મંત્રીએ ઉમેર્યું હતું કે, 'જ્યારે મોહમ્મદ રિયાસને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે અમે એવું નહોતું કહ્યું કે, જમાઈને તેમના સસરાના મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, કેમ બરાબર ને?' આ ટિપ્પણી ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી P A મોહમ્મદ રિયાસના સંદર્ભમાં હતી, જે ભૂતપૂર્વ CM પિનરાઈ વિજયનના જમાઈ છે.

About The Author

Top News

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની...
Politics 
છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી

જંતર-મંતર ખાતે 36 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓ અને GenZ વિરોધ પ્રદર્શન પછી, ઇથેનોલ વિરુદ્ધ એક મોટું આંદોલન કરવાની તૈયારીઓ...
National 
હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી

‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર

દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી...
Politics 
‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર

ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ

NEET પેપર લીકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 2014માં નરેન્દ્ર...
Politics 
ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.