કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવામાં આવ્યું, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો પ્રસ્તાવ મંજૂર કર્યો

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી. સેવાતીર્થ ખાતે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાષાકીય ધોરણે રાજ્યોની રચના થઈ ત્યારથી કેરળનું નામ બદલવાની માંગણી ચાલી રહી હતી.

Kerala-to-Keralam
upscprep.com

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી, રાષ્ટ્રપતિ 'કેરળ નામ પરિવર્તન બિલ, 2026'નો મુસદ્દો મંજૂરી માટે કેરળ વિધાનસભામાં મોકલશે. આ પછી, રાષ્ટ્રપતિ બંધારણની કલમ 3 હેઠળ બિલ પર કેરળ વિધાનસભાનો મત માંગશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાની મંજૂરી પછી, કેન્દ્ર સરકાર આગળની કાર્યવાહી કરશે અને બિલને સંસદમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે.

Kerala-to-Keralam
ddnews.gov.in

આ અગાઉ, 24 જૂન, 2024ના રોજ, કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને કેરળમ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, મલયાલમ ભાષામાં રાજ્યનું નામ કેરળમ છે. 1 નવેમ્બર, 1956ના રોજ ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળ પરિવાર દિવસ 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામથી, મલયાલમ ભાષી લોકો માટે એકીકૃત રાજ્યની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અમારા રાજ્યનું નામ બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.

કેરળ વિધાનસભાના ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ ગૃહ સર્વાનુમતે કેન્દ્ર સરકારને બંધારણની કલમ 3 હેઠળ કેરળનું નામ બદલીને કેરળમ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.' અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેરળમાં ચૂંટણીઓ પણ યોજાવાની છે.

Kerala-to-Keralam
republicworld.com

આ પછી, કેરળ સરકારે કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં કાર્યવાહી કરવા વિનંતી કરી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો હતો, અને ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી પછી, મંત્રીમંડળ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની અને કાયદાકીય વિભાગના અભિપ્રાય પછી આ દરખાસ્ત કેબિનેટ સમક્ષ લાવવામાં આવી હતી.

About The Author

Top News

શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ...
Sports 
શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની...
Business 
અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ભારત અને શ્રિલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2026માં જ્યારે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ તૈયારીઓ અને...
Sports 
રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય...
Opinion 
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.