CM કેજરીવાલની તબિયતને લઈને ટેન્શનમાં LG સક્સેના, 'CM દવા કેમ નથી લઈ રહ્યા જાણો'

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે. CM અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને વિવાદ સતત ચાલુ છે. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટના રિપોર્ટનો ઉલ્લેખ કરતા LG VK સક્સેનાએ CM અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રિસ્ક્રાઇબ કરેલ ખોરાક અને દવાઓ ન લેવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. LG VK સક્સેનાએ કહ્યું છે કે, મુખ્ય સચિવે આ મામલે તપાસ કરવી જોઈએ.

હકીકતમાં લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવે દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, CM અરવિંદ કેજરીવાલે 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે દિવસના ત્રણેય સમય જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લીધો હતો. આ અંગે LG VK સક્સેનાએ પૂછ્યું કે CM અરવિંદ કેજરીવાલ આવું કેમ કરી રહ્યા છે.

LG VK સક્સેનાના આ પત્ર પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે, BJP CM અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. આતિશીએ કહ્યું છે કે, CM કેજરીવાલની સુગર આઠ કરતા વધુ વખત 50થી નીચે આવી ગઈ છે. જેના કારણે CM કેજરીવાલ કોમામાં જઈ શકે છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવા છતાં CM અરવિંદ કેજરીવાલ હજુ પણ તિહાર જેલમાં છે. કોર્ટે તેમને ED કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ CBI કેસમાં ધરપકડના કારણે તેઓ હજુ તિહારમાં છે. CBI કેસમાં આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના CM કેજરીવાલની માર્ચ 2024માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ EDએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. EDએ તેને કથિત દારૂ કૌભાંડનો કિંગ પિન ગણાવ્યા હતા.

ત્યાર પછી CM અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, અને કોર્ટે તેમની કસ્ટડી 25 જુલાઈ સુધી વધારી દીધી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-05-2025 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ તમે આધ્યાત્મિકતાના કામમાં વિતાવશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.