પતિની સારવાર માટે પૈસા ઉધાર લીધા, વ્યાજ ન આપવા પર મહિલા સાથે રેપ

રાજસ્થાનના નાગોરમાં માણસાઇને મેવે મૂકનારો કિસ્સો સામે આવ્યો છએ. એક મહિલાએ પોતાના પેરાલિસિસથી પીડિત પતિની સારવાર માટે એક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. આરોપ છે કે, ઉધાર આપનારાએ મહિલા સાથે રેપ કર્યો અને વીડિયો બનાવી વાયરલ કરી દીધો. આ મામલા અંગે ફરિયાદ મળ્યા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલાએ પતિની સારવાર માટે પૈસા ભેગા કરવાની કોશિશ કરી, પણ કશેથી પણ પૈસાની વ્યવસ્થા થઇ શકી નહીં. ત્યાર પછી મહિલાએ નાગોરમાં દિલ્હી દરવાજાની પાસે રહેનારા મેહરદીનનો સંપર્ક કર્યો. મહિલાને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ વ્યાજે રૂપિયા આપે છે.

10 હજાર રૂપિયા ઉધાર લીધા હતા

મહિલાએ મેહરદીન પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. મહિલા વ્યાજના રૂપમાં મેહરદીનને મહિને 500 રૂપિયા આપતી હતી. આ રીતે પીડિતા 5000 રૂપિયા વ્યાજના રૂપમાં આપવામાં સફળ રહી. પણ એક દિવસ મહિલાનો પતિ બહાર ગયો હતો. તે દરમિયાન મેહરદીન મહિલાના ઘરમાં ઘૂસ્યો અને તેનો રેપ કર્યો. સાથે જ વીડિયો પણ બનાવ્યો.

જોધપુર જઇ દુષ્કર્મ કર્યું

આરોપ છે કે મેહરદીને જોધપુર લઇ જઇ મહિલાની સાથે હોટલમાં રેપ કર્યો અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વીડિયો વાયરલ થયા પછી પીડિતાએ તળાવમાં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. સ્થાનિક લોકોએ જોયું તો મહિલાને તરત બચાવી લીધી. આ આખા કેસ વિશેની જાણકારી પોલીસને આપી દેવામાં આવી છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી સામે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

પોલીસનું આ મામલે શું કહેવું છે

નાગોરના સીઆઈએ રમેન્દ્ર સિંહ હાડાએ કહ્યું કે, મહિલાએ રિપોર્ટ આપી. જેમાં જણાવાયું કે તેણે એક યુવક પાસેથી થોડા દિવસ પહેલા પૈસા ઉધાર લીધા હતા. તેણે પૈસા પાછા આપી દીધા. આરોપી વ્યાજને લઇ મહિલાને સતત હેરાન કરતો રહ્યો અને તેની સાથે રેપ કર્યો સાથે જ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરી દીધો. આ આખા પ્રકરણમાં પોલીસે કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.