નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ આવી રીતે મહિને 3 લાખની કમાણી કરે છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં તેમણે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. જો એકપણ વ્યક્તિ કહી દે કે મેં પૈસા લીધા છે તો હું રાજકારણ છોડી દઇશ. દેશમાં કોઇપણ વ્યક્તિ ન મળી શકે જે બોલે કે ગડકરીને બે પૈસા આપ્યા છે. રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી. તેમણે કહ્યું કે, તેઓ હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં ભાષણ આપે છે અને યૂટ્યૂબ પર લોકો તેમના ભાષણ સાંભળે છે. અમેરિકામાં સૌથી વધારે લોકો ગડકરીના ભાષણ સાંભળે છે. જેના દ્વારા ગડકરી દર મહિને 3 લાખ રૂપિયા યૂટ્યૂબ દ્વારા કમાઇ લે છે.

ગડકરીએ કહ્યું કે, તેઓ ખુલીને બોલવામાં સંકોચાતા નથી. નાનપણમાં જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ નોકરી કરશે નહીં બલ્કે નોકરી આપનારા બનશે. તેમના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ વકીલ બને પણ ગડકરીએ કહેલું કે હું નોકરી માગવાનો નથી પણ નોકરી આપનારો બનીશ. કેન્દ્રીય મંત્રી આગળ કહે છે કે જાત, પાત, ભાષાથી લોકો મોટા હોતા નથી પણ લોકો પોતાના કામો અને ગુણોથી મોટા બને છે.

જે કરશે જાતની વાત તેને પડશે લાત

ગડકરીએ કહ્યું કે, તેઓ જાતિની વાત કરતા નથી. તેઓ નેતા છે અને તેમને બધી જાતિના લોકોના મત જોઇએ. બધી જાતિવાળા મારા ભાઈઓ છે, મારો પરિવાર છે. એ હું સમજું છું. આજે તેઓ કોઈ બિઝનેસ કરતા નથી. પણ અત્યાર સુધીમાં તેમણે જેટલો પણ બિઝનેસ કર્યો છે તેનું ટર્નઓવર 2.5 હજાર કરોડ છે. જે પણ બિઝનેસ તેમણે શરૂ કર્યો છે, તેમાં 15000 લોકોને નોકરી આપી છે. જેમાંથી 200 વ્યક્તિ પણ તેમની જાતના નથી. ગડકરી હંમેશાથી એવું કહેતા આવ્યા છે કે જે પણ કરશે જાતની વાત તેને પડશે લાત.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે લોકો પોતાના કામોથી પસંદ થઇને આવતા નથી તેઓ કહે છે કે મારી જાતિના છે. માટે તેમને આવવા દો. તેમના આવ્યા પછી તેઓ કહે છે, મારી પત્નીને ટિકિટ આપો, મારા દીકરાને, મારા ડ્રાઈવરને ટિકિટ આપો. કોઈ નહીં મળ્યું તો મારા ચમચાને ટિકિટ આપી દો. આ દરેક પાર્ટીઓમાં ચાલી રહ્યું છે. તેમને એ નથી ખબર કે સમાજ બાજુમાં રહે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.