હવે મોબાઈલ ચોરોની ખેર નહીં, આ ટેક્નોલોજી દ્વારા પોલીસ મિનિટોમાં કરશે ખેલ

દૂરસંચાર વિભાગે મંગળવારે સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરી દીધી છે. તેના દ્વારા લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલની દેખરેખ કરી શકે છે. આ પોર્ટલથી ફોનને બ્લોક પણ કરી શકાય છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સંચાર સાથી પોર્ટલના માધ્યમથી લોકો જૂના ઉપકરણોને ખરીદતા પહેલા તેની સત્યતાની તપાસ કરી શકશે. સંચાર સાથી પોર્ટલનું પહેલું ચરણ કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજીસ્ટર (CEIR) છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય છે તો તમે આ પોર્ટલ પર જઈ શકો છો. કેટલીક ઓળખ સંબંધિત ખરાઈ કરવી પડશે અને ત્યારબાદ તરત જ પોર્ટલ કાયદાકીય પ્રવર્તન એજન્સીઓ અને દૂરસંચાર કંપનીઓ સાથે સંપર્ક કરશે. તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, ઉપયોગકર્તાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે અને સંચાર સાથી પોર્ટલ આ જ દિશામાં ઉઠાવવા આવેલું પગલું છે.

વૉટ્સએપ પર કોલ દ્વારા છેતરપિંડીના કેસોની તપાસ બાબતે પૂછવામાં આવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેટાના સ્વામિત્વવાળી એપ છેતરપિંડીમાં સામેલ કોઈ પણ મોબાઈલ નંબરથી જોડાયેલી સેવાઓને નિષ્ક્રિય કરવા પર સહમત થઈ ગઈ છે. છેતરપિંડીના કારણે 36 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ તેમના વૉટ્સએપ ખાતાને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સરકાર ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ અગાઉ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI 15 આંકડાનો નંબર)નો ખુલાસો કરવાનું અનિવાર્ય કરી દીધું છે.

મોબાઈલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની લિસ્ટ હશે, જેથી તેમના નર્ટવર્કમાં ચોરીના મોબાઈલ ફોનના પ્રવેશની જાણકારી મળી શકશે. દૂરસંચાર પરિચાલકો અને CEIR પ્રણાલી પાસે ઉપકરણના IMEI નંબર અને તેની સાથે જોડાયેલા નંબરની જાણકારી હશે. કેટલાક રાજ્યોમાં આ જાણકારીનો ઉપયોગ CEIR દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોનની જાણકારી મેળવવા માટે કરવા આવશે. CEIRની સત્તાવાર વેબસાઈ મુજબ અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 મોબાઈલ ફોન બ્લોક કરવા આવ્યા છે, જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, તો 8498 ફોન શોધી કાઢવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.