હવે મોબાઈલ ચોરોની ખેર નહીં, આ ટેક્નોલોજી દ્વારા પોલીસ મિનિટોમાં કરશે ખેલ

દૂરસંચાર વિભાગે મંગળવારે સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરી દીધી છે. તેના દ્વારા લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલની દેખરેખ કરી શકે છે. આ પોર્ટલથી ફોનને બ્લોક પણ કરી શકાય છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સંચાર સાથી પોર્ટલના માધ્યમથી લોકો જૂના ઉપકરણોને ખરીદતા પહેલા તેની સત્યતાની તપાસ કરી શકશે. સંચાર સાથી પોર્ટલનું પહેલું ચરણ કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજીસ્ટર (CEIR) છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય છે તો તમે આ પોર્ટલ પર જઈ શકો છો. કેટલીક ઓળખ સંબંધિત ખરાઈ કરવી પડશે અને ત્યારબાદ તરત જ પોર્ટલ કાયદાકીય પ્રવર્તન એજન્સીઓ અને દૂરસંચાર કંપનીઓ સાથે સંપર્ક કરશે. તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, ઉપયોગકર્તાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે અને સંચાર સાથી પોર્ટલ આ જ દિશામાં ઉઠાવવા આવેલું પગલું છે.

વૉટ્સએપ પર કોલ દ્વારા છેતરપિંડીના કેસોની તપાસ બાબતે પૂછવામાં આવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેટાના સ્વામિત્વવાળી એપ છેતરપિંડીમાં સામેલ કોઈ પણ મોબાઈલ નંબરથી જોડાયેલી સેવાઓને નિષ્ક્રિય કરવા પર સહમત થઈ ગઈ છે. છેતરપિંડીના કારણે 36 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ તેમના વૉટ્સએપ ખાતાને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સરકાર ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ અગાઉ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI 15 આંકડાનો નંબર)નો ખુલાસો કરવાનું અનિવાર્ય કરી દીધું છે.

મોબાઈલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની લિસ્ટ હશે, જેથી તેમના નર્ટવર્કમાં ચોરીના મોબાઈલ ફોનના પ્રવેશની જાણકારી મળી શકશે. દૂરસંચાર પરિચાલકો અને CEIR પ્રણાલી પાસે ઉપકરણના IMEI નંબર અને તેની સાથે જોડાયેલા નંબરની જાણકારી હશે. કેટલાક રાજ્યોમાં આ જાણકારીનો ઉપયોગ CEIR દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોનની જાણકારી મેળવવા માટે કરવા આવશે. CEIRની સત્તાવાર વેબસાઈ મુજબ અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 મોબાઈલ ફોન બ્લોક કરવા આવ્યા છે, જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, તો 8498 ફોન શોધી કાઢવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.