ઓરિસ્સા ટ્રેન અકસ્માત: રેલ મંત્રીએ પહેલી વખત બતાવ્યું એક્સિડન્ટનું કારણ

ઓરિસ્સાના બાલસોરમાં થયેલા રેલ અકસ્માત બાદ ટ્રેકને સાફ કરવા અને પછા ચાલુ કરવા માટે યુદ્ધસ્તર પર કામ ચાલી રહ્યું છે. પોતે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને ટ્રેનને ચાલુ કરવા માટે કાર્યોની દેખરેખ કરી રહ્યા છે. આ દરમિયાન રેલ મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે સવારે ટ્રેનની અવર-જવર શરૂ થઈ જશે.

તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ જે કહ્યું એ નહીં, પરંતુ અકસ્માતનું કોઈ બીજું કારણ રહ્યું હતું. મમતા બેનર્જીના આરોપ પર રેલ મંત્રીએ કહ્યું કે, તેનું કવચ સાથે કોઈ લેવું-દેવું નથી. કારણ એ નથી જે મમતા બેનર્જીએ કાલે કહ્યું હતું. રેલવે સુરક્ષા કમિશનરે ઘટનાની તપાસ કરી છે. આ અકસ્માત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં બદલાવના કારણે થયો છે. તપાસ રિપોર્ટ આવવા દો. અમે ઘટનાના કારણો અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. અત્યારે અમારું ફોકસ ટ્રેનને ચાલુ કરવા પર છે.

રેલ મંત્રીએ કહ્યું કે, બુધવારે સવાર સુધીમાં આ ટ્રેન ચાલુ થઈ જશે. બધા શબ કાઢી લેવામાં આવ્યા છે અને અમારું લક્ષ્ય બુધવાર સુધીમાં સમારકામનું કામ પૂરું કરવાનું છે જેથી ટ્રેક પર ટ્રેનો દોડવાની શરૂ થઈ શકે. કાલે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કાલે રાત્રે એક ટ્રેકનું કામ લગભગ પુરું થઈ ગયું. આજે એક ટ્રેકનું સમારકામ કરવાનો પ્રયાસ રહેશે. બધા ડબ્બાઓને હટાવી દેવામાં આવ્યા છે. શબોને કાઢી લેવામાં આવ્યા છે. કાર્ય ઝડપાથી ચાલી રહ્યું છે. પ્રયાસ છે કે બુધવારની સવાર સુધી સામાન્ય રુટ ચાલુ થઈ જાય.

તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જેટલું જલદી થઈ શકે, સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. ભારતીય રેલવે મફત ટ્રેનો ચલાવી રહ્યો છે. મૃતકોની સંખ્યા 270 પાર કરી ગઈ છે. કારણોની તપાસ ચાલી રહી છે. અમે તેના માટે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાના બાલસોરમાં શુક્રવારે સાંજે 3 રેલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે અત્યાર સુધી 288 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1000 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત છે. બચાવ અને રાહત કાર્ય બાદ રેલવે શનિવાર રાતમાં જ ટ્રેકના મોટા ભાગનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો હતો અને ટ્રેકને જલદી શરૂ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.