અકસ્માત બાદ હાઇવે પર પેટ્રોલ ટેન્કર લીક થયું, લોકો ડોલ ભરી-ભરીને લઈ ગયા

કાનપુર હાઇવે પર વાહન સાથે અથડાયા પછી, એક પેટ્રોલ ટેન્કર લીક થઇ ગયું હતું. આ વાતની જાણ થતાં, લોકો લીક થતું પેટ્રોલ લેવા માટે ઘરમાંથી વાસણો લઈને ટેન્કર પાસે દોડી ગયા. ડ્રાઇવરે પોલીસને જાણ કરી. જાણકારી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Petrol-Tanker-Accident
indiatv.in

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં ચાલી રહેલા ગભરાટ વચ્ચે, કાનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાઇવે પર એક પેટ્રોલ ટેન્કર અકસ્માતનો ભોગ બન્યો. ડ્રાઇવરને મદદ કરવાને બદલે, લોકો ઘરમાંથી ડોલ લઈને પેટ્રોલ ભરવા દોડી ગયા. રોડ પર અંધાધૂંધી સર્જાઈ અને ટ્રાફિક જામ થઈ ગયો.

આ ઘટના કાનપુર હાઇવે પર બની. શુક્રવારે રાત્રે, એક પેટ્રોલ ટેન્કર ખરાબ થઇ જવાને કારણે રસ્તાની બાજુમાં ઉભું રાખવામાં આવ્યું હતું. ટેન્કર ચાલક મુન્ના પ્રસાદ, રાયપુરથી પેટ્રોલ ભર્યા પછી શિવરાજપુર તરફ જઈ રહ્યો હતો. પાછળથી આવી રહેલ એક ઝડપી વાહને ટેન્કરને ટક્કર મારી હતી. ટક્કર થતાં, ટેન્કરમાંથી પેટ્રોલ લીક થવા લાગ્યું અને રસ્તા પર ફેલાઈ ગયું.

5
livehindustan.com

અકસ્માત પછી, ડ્રાઇવરે સ્થાનિક રહેવાસીઓને મદદ માટે અપીલ કરી. મદદ કરવાને બદલે, રહેવાસીઓ તેમના ઘરમાંથી ડોલ અને કેન લઈને ઘટનાસ્થળે દોડી ગયા અને લીક થતું પેટ્રોલ ભરવાનું શરૂ કર્યું. પેટ્રોલની અછતના અહેવાલોને ધ્યાનમાં રાખીને તે ઉપયોગી થશે તેવું તેમણે કહ્યું.

ડ્રાઇવરે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે કોઈએ સાંભળ્યું નહીં, ત્યારે તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતાં, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. તે સમયે, મોટા પ્રમાણમાં પેટ્રોલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના થવાનો ભય હતો.

Petrol-Tanker-Accident1
indiatv.in

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક પરિસ્થિતિને સાંભળી લીધી હતી, ઢોળાયેલા પેટ્રોલને ધોવા અને કોઈપણ તણખા કે આગને રોકવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ કર્યો. ત્યારપછી પોલીસે ભીડને દૂર કરી અને લોકોને ટેન્કરથી દૂર ખસેડ્યા.

ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે હાઇવે પર લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. બચાવ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે અને વધુ અકસ્માતો ટાળવા માટે પોલીસે ટ્રાફિકને અસ્થાયી રૂપે અટકાવ્યો હતો.

Petrol-Tanker-Accident3

પરિસ્થિતિને કાબુમાં લીધા પછી, પોલીસે, લોકોને ધક્કા મારવાનું કહીને ટેન્કરને બાજુ પર ખસેડી દીધું હતું. ત્યારપછી બીજા ટેન્કરને બોલાવવામાં આવ્યું અને તેમાં લીક થતા ટેન્કરમાંથી પેટ્રોલ ટ્રાન્સફર કરવામાં આવ્યું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ડોલમાં પેટ્રોલ ભરતા દેખાય છે.

Petrol-Tanker-Accident4
indiatv.in

જ્યાં એક તરફ આ પરિસ્થિતિ અત્યંત ખતરનાક હતી અને અકસ્માત સર્જાઈ શકે તેમ હતો, છતાં લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પેટ્રોલ લૂંટવાનું ચાલુ રાખ્યું. પોલીસે જાહેર જનતાને આવી ઘટનાઓમાં અકસ્માત સ્થળે સહકાર આપવા અપીલ કરી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાથી બચી શકાય.

About The Author

Related Posts

Top News

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પેટ્રોલ અને LPGની અછત વર્તાઈ...
World 
ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી...
National 
જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ભારત સરકારે દેશમાં ઈંધણની સ્થિતિને લઈને તમામ માહિતી શેર કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકાર...
National 
29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી...
Gujarat 
ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.