ભારતના આ ગામમાં CRPFએ ગામવાળાઓને હથિયારો આપ્યા અને ટ્રેનિંગ પણ આપી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધસૈનિક બળ CRPF દ્વારા ગ્રામ વિકાસ સમિતિ હેઠળ ગ્રામીણોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. થોડા દિવસો પહેલા જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા જઘન્ય હત્યાકાંડ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તે સિવાય રાજૌરી જિલ્લાના દનગરીમાં દરેક ગ્રામ રક્ષા સમિતિમાં એક સભ્યને SLR રાઇફલ આપવામાં આવી છે. અમુક ગામ રક્ષા સમિતિઓમાં 2થી 3 સભ્યોને સ્વચાલિત રાઇફલો પણ આપવામાં આવી છે.

રાજૌરી જિલ્લાના ધનગરી ગામમાં સૌમવારે એક વિશેષ શિવિરનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 100 VDC સભ્યોને નવા હથિયાર આપવામાં આવ્યા છે, જેમાંથી 40 પૂર્વ સૈનિકો છે જેમને SLR રાઇફલ આપવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આયોજિત આ શિવિરમાં 60 સ્થાનિક લોકોને પણ હથિયાર આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 303 ગન આપવામાં આવી છે.

જ્યારે, 40 પૂર્વ સૈનિકોને સેલ્ફ લોડિંગ રાઇફલ એટલે કે, SLR આપવામાં આવી છે, તેથી કોઇ આતંકવાદી હુમલાની સ્થિતિમાં પોતાનો બચાવ કરી શકાય. તેના પછીના ગામના પૂર્વ સૈનિક ગામના અન્ય લોકોને પ્રશિક્ષણ આપીને તૈયાર કરશે જે પહેલા હથિયાર ચલાવવા માટે પ્રશિક્ષિત નથી. ગ્રામ રક્ષા સમિતિઓને હથિયાર ઉપલબ્ધ કરાવવા માટે લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં નવા વર્ષે આતંકવાદીઓએ હિંદુ પરિવારો પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં અત્યાર સુધી 7 લોકોના જીવ ગયા છે. રાજૌરીના વિસ્તારમાં હિંદુ પરિવારો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ખાનગી એજન્સીઓ એલર્ટ પર છે. કેન્દ્ર સરકાર તરફથી પુંચ અને રાજૌરીમાં CRPFની લગભગ 18 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન રાજૌરી પોલિસે VDC સભ્યો અને પૂર્વ સૈનિકોને બંદૂકો સાથે બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે, તેમની બંદૂક ચાલૂ હાલતમાં છે કે નહીં. જરૂર અનુસાર, પોલીસ VDCને નવી બંદૂકો પણ જારી કરશે.

જમ્મુ કાશ્મીરના પુંચ અને રાજૌરી વિસ્તારમાં અર્ધસૈનિક બળોની 18 કંપનીઓ તહૈનાત કરવામાં આવી છે. જેમાંથી 10 કંપનીઓ દિલ્હી મોકલવામાં આવી છે. બન્ને ક્ષેત્રોના ચપ્પા ચપ્પા પર સૈનાબળ તહૈનાત રહેશે, જેથી ફરીથી આતંકવાદી કોઇ હિંદુ પરિવારને નિશાનો ન બનાવી શકે. નવા વર્ષ પર જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 7 લોકોના મોત થયા હતા. સાથે જ કેટલાક ઘાયલ થયા હતા. સુરક્ષાકર્મીઓએ ઘાયલોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આતંકવાદીઓએ આ ગોળીબાર રાજૌરીના ધનગરી વિસ્તારમાં કરી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.