સદીઓથી આપણા સમાજને વિભાજીત કરવા અને નબળા બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છેઃરાષ્ટ્રપતિ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હૈદરાબાદ, તેલંગાણામાં લોકમંથન-2024ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકમંથનનું આયોજન કરવા બદલ તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને એકતાના સૂત્રમાં બાંધવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ ભારતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને સમજવો જોઈએ અને આપણી અમૂલ્ય પરંપરાઓને મજબૂત કરવી જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિવિધતા આપણી મૂળભૂત એકતાને સુંદરતાનું મેઘધનુષ પ્રદાન કરે છે. ભલે આપણે વનવાસી હોઈએ, ગ્રામીણ હોઈએ કે શહેરવાસીઓ, આપણે બધા ભારતીય છીએ. રાષ્ટ્રીય એકતાની આ ભાવનાએ અસંખ્ય પડકારો હોવા છતાં આપણને એકજૂટ રાખ્યા છે. તેમણે કહ્યું કે સદીઓથી આપણા સમાજને વિભાજીત કરવા અને નબળા બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણી કુદરતી એકતાને તોડવા માટે કૃત્રિમ ભેદો સર્જાયા છે. પરંતુ ભારતીયતાની ભાવનાથી રંગાયેલા આપણા નાગરિકોએ રાષ્ટ્રીય એકતાની જ્યોત પ્રગટાવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય વિચારધારાનો પ્રભાવ પ્રાચીન સમયથી વિશ્વમાં દૂર દૂર સુધી ફેલાયેલો છે. ભારતની ધાર્મિક માન્યતાઓ, કલા, સંગીત, ટેક્નોલોજી, તબીબી પ્રણાલી, ભાષા અને સાહિત્યની સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવે છે. વિશ્વ સમુદાયને આદર્શ જીવન મૂલ્યોની ભેટ આપનાર પ્રથમ ભારતીય દાર્શનિક પ્રણાલી હતી. આપણા પૂર્વજોની તે ભવ્ય પરંપરાને મજબૂત કરવાની જવાબદારી આપણી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સદીઓથી સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદી શક્તિઓએ ભારતનું આર્થિક રીતે માત્ર શોષણ જ નથી કર્યું પરંતુ આપણા સામાજિક માળખાને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણી સમૃદ્ધ બૌદ્ધિક પરંપરાને નીચું દેખાડનારા શાસકોએ નાગરિકોમાં સાંસ્કૃતિક હીનતાની ભાવના જગાડી. આવી પરંપરાઓ આપણા પર લાદવામાં આવી હતી જે આપણી એકતા માટે નુકસાનકારક હતી. સદીઓની તાબેદારીથી આપણા નાગરિકો ગુલામીની માનસિકતાનો ભોગ બન્યા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નાગરિકોમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના જગાવવી જરૂરી છે. લોકમંથન આ લાગણી ફેલાવી રહ્યું છે તે જાણીને તેમને આનંદ થયો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.