મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા AIMIMએ કહ્યું કે, 19 ટકા મુસ્લિમો ફક્ત મતદાન કરશે, જ્યારે 2 ટકા મત ધરાવતા DyCM બનશે!

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એકદમ નજીક આવી ગઈ છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ સાથે, તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન, મહાગઠબંધને CM અને DyCM પદ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી. પટણામાં એક પત્રકાર પરિષદમાં, મહાગઠબંધને તેજસ્વી યાદવને CM અને મુકેશ સાહનીને DyCM તરીકે જાહેર કર્યા. આ જાહેરાત પછી, રાજકીય વર્તુળોમાં મુસ્લિમ ભાગીદારી અંગે ચર્ચાઓ તેજ બની છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન, આ મુદ્દે મહાગઠબંધન પર સૌથી વધુ આક્રમક બની ગઈ છે.

Waris-Pathan2
ndtv.in

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMI)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને તેમના વસ્તી ગુણોત્તરના આધારે હિસ્સો ન આપવા બદલ મહાગઠબંધન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે CM અને DyCM ઉમેદવારોની તાજેતરની જાહેરાતથી મહાગઠબંધનનો સાચો ચહેરો ખુલી ગયો છે.

AIMIMના વરિષ્ઠ નેતા વારિસ પઠાણે મહાગઠબંધન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, બિહારની વસ્તીના 19 ટકા મુસ્લિમ સમુદાય હોવા છતાં મહાગઠબંધને DyCM ઉમેદવાર તરીકે મુસ્લિમ નેતાનું નામ કેમ જાહેર કર્યું નથી. VIP પાર્ટીના પ્રમુખ મુકેશ શાહાનીને DyCM ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા પર કટાક્ષ કરતા પઠાણે કહ્યું કે, બિહારમાં 2 ટકા વસ્તી ધરાવતો સમુદાય DyCM બનશે, પરંતુ મુસ્લિમ સમુદાય, જે વસ્તીના 19 ટકા છે, તેને અવગણવામાં આવ્યો છે.

Waris-Pathan1
x.com/warispathan

તેમણે એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમો ફક્ત મતદાન કરવા માટે છે, કે તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવશે? અત્રે ઉલ્લેખનીય છે કે, AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં જોડાવાનો અને સાથે મળીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મહાગઠબંધને તેનો સ્વીકાર કર્યો ન હતો. ત્યારપછી, AIMIMએ એક નવું ગઠબંધન બનાવ્યું અને જાહેરાત કરી કે તે બિહારની ચૂંટણી વધુ મજબૂતીથી લડશે.

Waris-Pathan3
navbharattimes.indiatimes.com

AIMIMએ જાહેરાત કરી છે કે, તે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકો પર ચૂંટણી લડશે. AIMIM ગઠબંધન, જેમાં આઝાદ સમાજ પાર્ટી (ASP) અને અપના જનતા પાર્ટી (AJP)નો સમાવેશ થાય છે, 25 બેઠકો અને ચાર બેઠકો પર ચૂંટણી લડશે. આનો અર્થ એ થયો કે, AIMIM ગઠબંધન બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 243 બેઠકોમાંથી 64 બેઠકો પર ચૂંટણી લડશે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.