કબાટ ખોલતા નીકળી 2000ની 7000 કરતા વધુ નોટ, સોનું પણ મળ્યું, જેના પર લખ્યું...

On

રાજસ્થાનની રાજધાની જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2.31 કરોડ રૂપિયા કરતા વધુનું કાળું ધન મળવાની ઘટના ખૂબ જ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે જે દિવસે RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણથી પરત લેવાનો નિર્ણય લીધો, એ જ દિવસે યોજના ભવન સ્થિત સૂચના અને ટેક્નોલોજી વિભાગ (DOIT) ઓફિસમાં રાખેલી આ રકમ જપ્ત કરવામાં આવી. કબાટમાં મળેલી આ રકમમાં 2000ની 7,298 રૂપિયા એટલે કે 1,45,96,000 રૂપિયા સામેલ હતા. એ સિવાય 500ની 17,107 નોટ મળી, જેની કિંમત 85,53,500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાની એક બિસ્કિટ પણ મળી. બિસ્કિટ પર મેડ ઇન સ્વિત્ઝરલેન્ડ લખ્યું હતું. સોનાની કિંમત બજાર ભાવ મુજબ લગભગ 62 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ વિભાગમાં દસ્તાવેજોના ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે વિભાગની ઓફિસમાં રાખેલી એક કબાટની ચાવી મળી રહી નહોતી. આ દેખરેખ DOITના ધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને લોક તોડાવી દીધું. દરવાજો ખોલતા તેમણે ફાઈલો સિવાય એક શંકાસ્પદ બેગ પણ જોવા મળી. તેની જાણકારી DOITના એક એડિશનલ ડિરેક્ટર તરફથી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર જયપુર સાહેર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવ પણ પહોંચ્યા.

જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાંથી 2.31 કરોડ રૂપિયાની રોકડ અને એક કિલોગ્રામ વજનની સોનાની બિસ્કિટ જપ્ત કરવામાં આવી. હવે આ બાબતે જયપુર સિટી પોલીસ અત્યાર સીધી 6 લોકોને કસ્ટડીમાં લઈ ચૂકી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કાળું ધન કોનું છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળી જે કાળું ધન વિભાગના સરકારી અધિકારિઓનું છે. તેમણે જ કબાટમાં પૈસા છુપાવી રાખ્યા હતા. પૈસા એ કોન્ટ્રાક્ટરોના માધ્યમથી હાંસલ કરવામાં આવ્યા હતા, જેમને થોડા મહિના અગાઉ ટેન્ડર વહેચવામાં આવ્યા હતા. જો કે, સ્પષ્ટ જાણકારી મેળવવાની અત્યારે બાકી છે.

આ દરમિયાન પોલીસ સરકારી વિભાગના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને અધિકારીઓ પર શકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. તો મુખ્યમંત્રી અશોક ગહલોત પણ આ બાબતે પૂરું અપડેટ પર વ્યક્તિગત રૂપે નજર રાખી રહ્યા છે. બીજી તરફ સરકારી વિભાગના કબાટમાંથી કાળા ધનની જપ્તીને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. ભાજપના સંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંગ શેખવાતે એક ટ્વીટમાં કહ્યું કે, કાળું ધન ગળીને ગેહલોત સરકારનું પેટ ઉપર સુધી ભરી દેવામાં આવ્યું છે એટલે આજે સચિવાલયે કરોડોની રોકડ અને સોનુ કાઢી દીધું. આ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે વિકાસમાં સતત નીચે જઈ રહેલા રાજ્યમાં ભ્રષ્ટાચાર કઈ ઊંચાઈ પર પહોંચી ગયું છે. આ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સરકારી સફાઇ ચાલુ છે, પરંતુ જનતાથી કશું જ છુપાયેલું નાથી.

નેતા પ્રતિપક્ષે કહ્યું કે, ભ્રષ્ટાચારની ગંગોત્રી આખરે સચિવાલય પહોંચી ગઈ. ત્યાં કરોડોની રોકડ અને સોનું જપ્ત થવું એ વાતના પુરાવા છે કે ગહલોત સરકાર રક્ષકની ભૂમિકામાં છે. 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનું નિવેદન આપનારા મુખ્યમંત્રીજી તમે માત્ર એટલું કહી દો કે, તમારું સચિવાલય 2000ની અગણિત નોટોને કેમ ઓકી રહ્યું છે? યોજના ભવનના સૂચના અને ટેક્નોલોજી વિભાગમાં કયા ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કરોડો રૂપિયા છુપાવીને રાખવામાં આવ્યા. પોતાના કાળા કારનામાઓને છુપાવવા માટે ઇમરજન્સીમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં IT, ED અને ACB જેવા વિભાગોના કોઈ અધિકારી સામેલ નહોતા, શું માંજરો છે?

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.