બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCBએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી. એવામાં, ચાલો જાણીએ પંજાબ કિંગ્સની હારના એ 5 ખલનાયકો, જેના કારણે ટીમના હાથમાંથી IPL ટ્રોફી સરકી ગઈ.

shrayas
BCCI

 

કેપ્ટન શ્રેયસ ઐય્યરની મોટી બેદરકારી

IPL 2025ની બીજી ક્વોલિફાયરમાં એકલા હાથે પંજાબ કિંગ્સને જીત અપાવનાર કેપ્ટન શ્રેયસ ઐય્યરથી ફાઇનલમાં મોટી ચૂંક થઈ ગઈ. મિડલ ઓર્ડરમાં જ્યારે ટીમને તેની જરૂર હતી, ત્યારે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. ફાઇનલ મેચમાં ઐય્યર માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. બેટિંગમાં ઐય્યર ફ્લોપ જવાને કારણે પંજાબ કિંગ્સને ફાઇનલ હાર મળી.

nehal
BCCI

 

નેહલ વઢેરા પંજાબ માટે બન્યો મુશ્કેલી

આખી સીઝનમાં પંજાબ કિંગ્સ માટે મજબૂત રમત બતાવનાર નેહલ વઢેરા RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં ચાલી ન શક્યો. વઢેરાએ મેચમાં 100થી ઓછી સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. વઢેરાએ 18 બૉલમાં 15 રનની ઇનિંગ રમી. તેની ધીમી ઇનિંગને કારણે પંજાબ કિંગ્સની ટીમ પર દબાણ વધ્યું. નેહલ વઢેરાની આ ઇનિંગને કારણે પણ પંજાબ કિંગ્સને હાર મળી.

stoinis
navbharattimes.indiatimes.com

 

માર્કસ સ્ટોઇનિસ એક સિક્સ લગાવીને આઉટ થયો

RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં માર્કસ સ્ટોઇનિસે શરૂઆત સિક્સથી કરી હતી, પરંતુ તેણે બીજા જ બૉલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી. માર્કસ સ્ટોઇનિસનું આઉટ થવું પંજાબ કિંગ્સને ભારે પડી ગયું. આ વિકેટ સાથે જ, પંજાબ કિંગ્સના હાથમાંથી લગભગ ટ્રોફી નીકળી ગઈ. સ્ટોઇનિસની બેદરકારીપૂર્ણ ઇનિંગને કારણે પણ પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો.

prabh
BCCI

 

પ્રભસિમરન મોટી મેચમાં ન ચાલી શક્યો

પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ પણ ફાઇનલ મેચમાં સારું પ્રદર્શન કરી ન શક્યો. પ્રભસિમરન સિંહે 22 બૉલમાં 26 રનની ઇનિંગ રમી. બેટિંગમાં તેનું ન ચાલી શકવું પણ પંજાબ કિંગ્સ માટે સમસ્યાઓ ઊભી થઈ. આ જ કારણ છે કે પંજાબની ટીમ ટ્રોફી જીતી ન શકી.

josh
espncricinfo.com

 

જોશ ઇંગ્લિશથી થઈ ગઈ મોટી ચૂંક

પંજાબ કિંગ્સ માટે RCB વિરુદ્ધ ફાઇનલ મેચમાં,જોશ ઇંગ્લિસે જરૂર 23 બૉલમાં 39 રનની ફાસ્ટ ઇનિંગ રમી હતી, પરંતુ જો તે સંભાળીને થોડો વધુ સમય ક્રીઝ પર રહ્યો હોત, તો પંજાબ કિંગ્સ માટે પરિણામ કંઈક અલગ રહેતું. જોશ ઇંગ્લિસની આ ભૂલને કારણે પંજાબ કિંગ્સના હાથમાંથી IPL ટ્રોફી સરકી ગઈ.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.