સૈફનો 25 લાખનો મેડિક્લેઇમ પાસ કરી દેવાયો તો ડૉક્ટરો કેમ ગુસ્સે છે?

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની સારવાર માટે મળેલા આરોગ્ય વીમા દાવા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મુંબઈના એક ડોક્ટરે દાવાની રકમ અંગે વીમા કંપની પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કંપની દ્વારા અભિનેતાને મંજૂર કરાયેલા દાવાની રકમ સામાન્ય માણસને મળતી રકમ કરતાં ઘણી વધુ છે.

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, કાર્ડિયાક સર્જન ડૉ. પ્રશાંત મિશ્રાએ સૈફના દાવાની મંજૂરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, વીમા કંપની તરફથી અભિનેતાના ક્લેમ માટે જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે તેટલી રકમ અન્ય કોઈપણ સામાન્ય પોલિસી ધારકને મળતી રકમ કરતાં ઘણી વધુ છે. પોતાના વિચારો રજૂ કરતા તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગના પોલિસી ધારકને 5 લાખ રૂપિયાથી વધુના દાવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે.

ડૉ. પ્રશાંતે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, 'આવી સારવાર માટે, નિવ બુપા નાની હોસ્પિટલો અને સામાન્ય લોકો માટે 5 લાખ રૂપિયાથી વધુ ચૂકવશે નહીં. બધી 5 સ્ટાર હોસ્પિટલો વધુ પડતી ફી વસૂલ કરી રહી છે અને મેડિકલેમ કંપનીઓ પણ તેને મંજૂરી આપી રહી છે. પરંતુ આના કારણે પ્રીમિયમનો ખર્ચ વધી રહ્યો છે અને મધ્યમ વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે.'

પોસ્ટના જવાબમાં લોકોએ પોતાના અનુભવો શેર કર્યા. એક યુઝરે આ દાવા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, કંપનીએ તેની સારવાર માટે સંપૂર્ણ રકમ મંજૂર કરી ન હતી.

 બીજા એક યુઝરે તો સમગ્ર આરોગ્ય વ્યવસ્થામાં પરિવર્તનની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે ખાનગી ખેલાડીઓને આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ કરતા અટકાવવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, 16 જાન્યુઆરીએ સૈફ પર તેના જ ઘરમાં હુમલો થયો હતો. શરીર પર છ જગ્યાએ ઈજાઓ હતી. તેમને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સર્જરી પણ થઈ. સૈફે તેની સારવાર માટે વીમા કંપની પાસેથી 35.95 લાખ રૂપિયા માંગ્યા હતા. જેને કંપની દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમની શરૂઆતની સારવાર માટે તેમને 25 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે અંતિમ બિલ પછી, એવું કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ રકમ નીતિ નિયમો અનુસાર ચૂકવવામાં આવશે.

સૈફ અલી ખાન પાસે નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનો હેલ્થ વીમો છે. કંપનીએ પોતે સ્વીકાર્યું હતું કે અભિનેતાએ સારવાર શરૂ કરવા માટે કેશલેસ સારવારની માંગણી કરી હતી. જેને કંપની દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, અંતિમ બિલ પ્રાપ્ત થયા પછી, સંપૂર્ણ રકમની પતાવટ માટે નીતિ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.