વર્લ્ડ કપ ફાઇનલના દિવસે બીગ બીને કોઇ ટાપુ પર મોકલી દો: સોશિયલ મીડિયા શું ચાલે છે

સદીના મહાનાયક અને બોલિવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે, કે સર, ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની ફાઇનલ તમે ન જોતા. કેટલાંકે તો એવું કહી રહ્યા છે કે બચ્ચન સરને કોઇ ટાપુ પર લોક કરી દો. અચાનક સોશિયલ મીડિયા પર બિગ બી સામે લોકો કેમ આવું કહી રહ્યા છે.? ભારતે બુધવારે સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને પછાડીને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઇનલ મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી ગઇ છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમી ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયા બેમાંથી એક ટીમ સાથે થશે. બંને વચ્ચે બીજી સેમીફાઈનલ રમાઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે અભિનંદન સંદેશાઓનું ઘોડાપુર ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ફાઈનલ મેચ બિલકુલ ન જોવાનું કહી રહ્યા છે.

તો એનું કારણ એવું છે કે બુધવારે 15 નવેમ્બરે મેચ પુરી થયા પછી બધા ચાહકોની જેમ અમિતાભ બચ્ચને પણ ટીમ ઇન્ડિયાને x પ્લેટફોર્મ પર શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો, પરંતુ પોતાના મજાકિયા અંદાજમાં.

બિગ બીએ x પ્લેટફોર્મ પર મજાકમાં જે લખ્યું તેને લોકોએ સિરિયસલી લઇ લીધું. તેમની પોષ્ટ પર રિએક્શનું જાણે પૂર આવી ગયું. બચ્ચને લખ્યુ હતું કે, when i don't watch we WIN !

Zucker Doctor નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે બિગ બીને જવાબ આપતાં એક તસવીર પોસ્ટ કરી જેમાં તે આંખે પાટા બાંધેલા છે. એટલે કે તે કહી રહ્યો છે કે મેચ ન જુઓ, માત્ર કોમેન્ટ્રી સાંભળો.

તો એક યૂઝરે લખ્યું છે કે, સર, મહેરબાની કરીને વર્લ્ડકપ ફાઇનલની મેચ જોશો નહીં. એક યૂઝરે લખ્યું કે, સર પ્લેયર ઓફ ધ સિઝન તમને જ મળશે. એક યૂઝરે લખ્યુ કે એમને ફાઇનલ મેચના દિવસે કોઇ રિમોટ આઇલેન્ડ પર લોક કરવાનો પ્રબંધ કરવામાં આવે. એક યૂઝરે લખ્યું કે, સર, છેલ્લી મેચ કઇ જોયેલી.

ભાઈ, આ બધી મજાક છે. કોઈને ગંભીરતાથી ન લો. અંધશ્રદ્ધા બહુ ખરાબ વસ્તુ છે.અમિતાભ બચ્ચન પણ રમૂજી ટ્વિટ પરની ટિપ્પણીઓને મજાક તરીકે લેશે. તેઓ વર્લ્ડકપ ફાઇલની મેચ જરૂર જોશે. તેમને ક્રિક્રેટ અને ફુટબોલમાં જબરદસ્ત રસ છે.

About The Author

Top News

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.