આ જગ્યાએ ભાજપ સરકાર 300થી વધુ સરકારી શાળાઓને તાળું લગાવી દેશે

એક તરફ જ્યાં દેશભરના ઘણા રાજ્યોમાં સરકારી શાળાઓની સંખ્યા વધારવાની માગણીઓ થઈ રહી છે, ત્યારે રાજસ્થાન સરકારે 300થી વધુ શાળાઓ બંધ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભજનલાલ શર્મા સરકારના નિર્ણય બાબતે જેણે પણ સાંભળ્યું, તે હેરાન રહી ગયું. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન કર્યો કે શાળાઓમાં ભણતા બાળકોના ભવિષ્યનું શું થશે. જોકે, સરકારે મજબૂરીમાં આ નિર્ણય લીધો છે, કારણ કે તમામ પ્રયાસો છતા રાજ્યની ઘણી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી શાળાઓને અન્ય પડોશી શાળાઓ સાથે મર્જ કરવામાં આવશે.

school.jpg-3

સરકારનું કહેવું છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાના બે વર્ષના સતત પ્રયાસો નિષ્ફળ ગયા છે. શિક્ષણ મંત્રી મદન દિલાવરે સ્વીકાર્યું કે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સરકારી શાળાઓની સંખ્યા ઘટી રહી છે. આવી સ્થિતિમાં સરકારે સંસાધનોનો દુરુપયોગ અટકાવવા માટે ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરવાનો અને તેમને અન્ય શાળાઓ સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય બાદ સંબંધિત શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. દિલાવરે એમ પણ કહ્યું હતું કે, જે શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી, તેવી ઇમારતો સરકારી ઉપયોગ માટે જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉની કોંગ્રેસ સરકારોએ જરૂરિયાતો વિના અને ધોરણો પૂરા કર્યા વિના ઘણી શાળાઓ ખોલી હતી, જેના કારણે આ વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે.

school

જયપુરની નીરજા મોદી સ્કૂલમાં 10 વર્ષની અમાયરાના મૃત્યુ પર પણ શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગની તપાસ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને શાળાઓ ફરી ખુલ્યાના બે કાર્યકારી દિવસોમાં રિપોર્ટ આવવાની અપેક્ષા છે. સરકારના મર્જરના નિર્ણયથી શિક્ષણ પ્રણાલી અંગે નવી બહેસ શરૂ થઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હવે આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.

About The Author

Top News

વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત...
Gujarat 
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

ક્રૂડ ઓઇલને લઈને વૈશ્વિક કટોકટી છે. થાય પણ કેમ નહીં, છેવટે, US-ઇઝરાયલની સાથે ઇરાનના યુદ્ધે પરિસ્થિતિ વધુ...
Business 
જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -10-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.