- National
- ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા ખૂબ જ શુભ સંકેત, આ વર્ષે દેશમાં દુષ્કાળ નહીં પડે
ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા ખૂબ જ શુભ સંકેત, આ વર્ષે દેશમાં દુષ્કાળ નહીં પડે

ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા પછી ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. દરવાજા ખોલતાની સાથે જ ધામની અંદર દેખાતો નજારો દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.
12 મેના રોજ સવારે 6 વાગ્યે દરવાજા ખોલતાની સાથે જ મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી મંદિરમાં પ્રવેશનારા પ્રથમ હતા. તેણે અંદર જોયું તો આ તિર્થસ્થાનના પુજારી ખુશ થઈ ગયા.
હકીકતમાં, છ મહિના પહેલા મંદિરના દરવાજા બંધ કરતા પહેલા ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર જે ઘીનો ધાબળો (ઘીનું ધાબળા જેવું જાડું આવરણ) લગાવવામાં આવ્યો હતો, જે તે જ હાલતમાં મળી આવ્યો છે. જેમ કે દરવાજા બંધ કરતી વખતે હતો.
પહેલા જેવી જ સ્થિતિમાં ઘી અને ધાબળો મેળવવો એ ખૂબ જ શુભ સંકેત છે, જેને જોઈને તિર્થસ્થાનના પૂજારી ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આ પછી, પરંપરા અનુસાર, આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને દેશમાં સમૃદ્ધિ બની રહેશે.
હકીકતમાં, દર વર્ષે શિયાળાની ઋતુમાં, બદ્રીનાથ ધામના દરવાજા 6 મહિના માટે બંધ કરતા પહેલા, ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળાથી ઢાંકવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગામની મહિલાઓ તેને તૈયાર કરે છે. છોકરીઓ અને પરિણીત મહિલાઓ એક જ દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે. તેમણે કહ્યું કે, જે દિવસે આ ઘીનો ધાબળો તૈયાર કરવામાં આવે છે તે દિવસે છોકરીઓ અને મહિલાઓ ઉપવાસ રાખે છે. શિયાળા પછી જ્યારે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ઘીમાં લપેટેલો આ ધાબળો સૌથી પહેલા કાઢી નાખવામાં આવે છે.
જો ઘીનો ધાબળો એ જ સ્થિતિમાં જોવા મળે છે, તો તે સૂચવે છે કે દેશમાં દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સુકાઈ ગયેલો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી આવવા પર ઈશારો કરતો હોય છે.
ગત વર્ષે પણ ધાબળા પર લગાવવામાં આવેલ ઘી તાજું જ જોવા મળ્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે બદ્રીનાથ ધામમાં લગભગ દરરોજ હિમવર્ષા થતી હોય છે અને હવામાન ખૂબ શુષ્ક રહે છે. આટલી બધી હિમવર્ષા અને બહાર ઠંડી છતાં ઘી સુકાઈ ન જાય, તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી.