ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા ખૂબ જ શુભ સંકેત, આ વર્ષે દેશમાં દુષ્કાળ નહીં પડે

On

ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા પછી ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. દરવાજા ખોલતાની સાથે જ ધામની અંદર દેખાતો નજારો દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે દરવાજા ખોલતાની સાથે જ મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી મંદિરમાં પ્રવેશનારા પ્રથમ હતા. તેણે અંદર જોયું તો આ તિર્થસ્થાનના પુજારી ખુશ થઈ ગયા.

હકીકતમાં, છ મહિના પહેલા મંદિરના દરવાજા બંધ કરતા પહેલા ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર જે ઘીનો ધાબળો (ઘીનું ધાબળા જેવું જાડું આવરણ) લગાવવામાં આવ્યો હતો, જે તે જ હાલતમાં મળી આવ્યો છે. જેમ કે દરવાજા બંધ કરતી વખતે હતો.

પહેલા જેવી જ સ્થિતિમાં ઘી અને ધાબળો મેળવવો એ ખૂબ જ શુભ સંકેત છે, જેને જોઈને તિર્થસ્થાનના પૂજારી ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આ પછી, પરંપરા અનુસાર, આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને દેશમાં સમૃદ્ધિ બની રહેશે.

હકીકતમાં, દર વર્ષે શિયાળાની ઋતુમાં, બદ્રીનાથ ધામના દરવાજા 6 મહિના માટે બંધ કરતા પહેલા, ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળાથી ઢાંકવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગામની મહિલાઓ તેને તૈયાર કરે છે. છોકરીઓ અને પરિણીત મહિલાઓ એક જ દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે. તેમણે કહ્યું કે, જે દિવસે આ ઘીનો ધાબળો તૈયાર કરવામાં આવે છે તે દિવસે છોકરીઓ અને મહિલાઓ ઉપવાસ રાખે છે. શિયાળા પછી જ્યારે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ઘીમાં લપેટેલો આ ધાબળો સૌથી પહેલા કાઢી નાખવામાં આવે છે.

જો ઘીનો ધાબળો એ જ સ્થિતિમાં જોવા મળે છે, તો તે સૂચવે છે કે દેશમાં દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સુકાઈ ગયેલો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી આવવા પર ઈશારો કરતો હોય છે.

ગત વર્ષે પણ ધાબળા પર લગાવવામાં આવેલ ઘી તાજું જ જોવા મળ્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે બદ્રીનાથ ધામમાં લગભગ દરરોજ હિમવર્ષા થતી હોય છે અને હવામાન ખૂબ શુષ્ક રહે છે. આટલી બધી હિમવર્ષા અને બહાર ઠંડી છતાં ઘી સુકાઈ ન જાય, તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.