દિલ્હીના CM રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે, જાણો કેટલી અમીર છે આખી કેબિનેટ

ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, દિલ્હીમાં શપથ લેનારા તમામ 7 નવા મંત્રીઓમાંથી, મુખ્યમંત્રી (71 ટકા) સહિત 5એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 2  અબજપતિ છે  (29 ટકા). આ જાણકારી 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ મંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાંથી મળી છે.

rekha-gupta2

ADRના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ મંત્રીઓમાંથી એક આશિષ સૂદ પર ગંભીર ગુનાહિત આરોપ છે. સૌથી વધુ સંપત્તિવાળા મંત્રી રાજૌરી ગાર્ડન મતવિસ્તારના ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસા છે. જેમની સંપત્તિ  248.85 કરોડ રૂપિયા અને સૌથી ઓછી સંપત્તિવાળા મંત્રી કરવલ નગર મતવિસ્તારના ધારાસભ્ય કપિલ મિશ્રા છે. જેમની સંપત્તિ 1.06 કરોડ છે.

rekha-gupta1

7 મંત્રીઓની સરેરાશ સંપત્તિ 56.03 કરોડ રૂપિયા છે. તમામ 7 મંત્રીઓએ દેવાદારીની જાહેરાત કરી છે, જેમાં નવી દિલ્હી મતવિસ્તારના ધારાસભ્ય પ્રવેશ સાહિબ સિંહ વર્મા પર સૌથી વધુ રૂ. 74.36 કરોડનું દેવું છે. 6 મંત્રીઓએ (86 ટકા) સ્નાતક અથવા તેથી વધુની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે, જ્યારે એક મંત્રીએ માત્ર 12મું ધોરણ પૂર્ણ કર્યું છે. ઉંમરના સંદર્ભમાં, 5 મંત્રીઓ (71 ટકા)ની ઉંમર 41 થી 50 વર્ષની વચ્ચેના છે, જ્યારે બાકીના 2 (29 ટકા)ની ઉંમર 51-60 વર્ષની વચ્ચેના છે. કેબિનેટમાં માત્ર એક મહિલા મંત્રી છે જે પોતે મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે.

rekha-gupta

તમને જણાવી દઈએ કે ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને 27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં 48 સીટો જીતીને પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઇને સત્તામાંથી બહાર થઇ ગઇ હતી. ભાજપે શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા. જ્યારે પ્રવેશ સાહેબ સિંહ વર્મા, આશિષ સૂદ, પંકજ કુમાર, કપિલ મિશ્રા, રવિન્દ્ર ઈન્દ્રરાજ અને મનજિંદર સિંહ સિરસા મંત્રી બન્યા.

About The Author

Related Posts

Top News

દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં...
National 
દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ...
Opinion 
મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?
Copyright (c) Khabarchhe All Rights Reserved.