દિલ્હીના CM રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે, જાણો કેટલી અમીર છે આખી કેબિનેટ

ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, દિલ્હીમાં શપથ લેનારા તમામ 7 નવા મંત્રીઓમાંથી, મુખ્યમંત્રી (71 ટકા) સહિત 5એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 2  અબજપતિ છે  (29 ટકા). આ જાણકારી 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ મંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાંથી મળી છે.

rekha-gupta2

ADRના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત 5 મંત્રીઓએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ મંત્રીઓમાંથી એક આશિષ સૂદ પર ગંભીર ગુનાહિત આરોપ છે. સૌથી વધુ સંપત્તિવાળા મંત્રી રાજૌરી ગાર્ડન મતવિસ્તારના ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસા છે. જેમની સંપત્તિ  248.85 કરોડ રૂપિયા અને સૌથી ઓછી સંપત્તિવાળા મંત્રી કરવલ નગર મતવિસ્તારના ધારાસભ્ય કપિલ મિશ્રા છે. જેમની સંપત્તિ 1.06 કરોડ છે.

rekha-gupta1

7 મંત્રીઓની સરેરાશ સંપત્તિ 56.03 કરોડ રૂપિયા છે. તમામ 7 મંત્રીઓએ દેવાદારીની જાહેરાત કરી છે, જેમાં નવી દિલ્હી મતવિસ્તારના ધારાસભ્ય પ્રવેશ સાહિબ સિંહ વર્મા પર સૌથી વધુ રૂ. 74.36 કરોડનું દેવું છે. 6 મંત્રીઓએ (86 ટકા) સ્નાતક અથવા તેથી વધુની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે, જ્યારે એક મંત્રીએ માત્ર 12મું ધોરણ પૂર્ણ કર્યું છે. ઉંમરના સંદર્ભમાં, 5 મંત્રીઓ (71 ટકા)ની ઉંમર 41 થી 50 વર્ષની વચ્ચેના છે, જ્યારે બાકીના 2 (29 ટકા)ની ઉંમર 51-60 વર્ષની વચ્ચેના છે. કેબિનેટમાં માત્ર એક મહિલા મંત્રી છે જે પોતે મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે.

rekha-gupta

તમને જણાવી દઈએ કે ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને 27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં 48 સીટો જીતીને પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઇને સત્તામાંથી બહાર થઇ ગઇ હતી. ભાજપે શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા. જ્યારે પ્રવેશ સાહેબ સિંહ વર્મા, આશિષ સૂદ, પંકજ કુમાર, કપિલ મિશ્રા, રવિન્દ્ર ઈન્દ્રરાજ અને મનજિંદર સિંહ સિરસા મંત્રી બન્યા.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.