હનુમાનગઢમાં ઓવરટેક કરતી વખતે ટ્રક-કાર વચ્ચે ટક્કર, 7ના નિધન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને એક માસુમ બાળક સહિત સાત લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માત થયા પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રાજસ્થાનના હનુમાનગઢ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પછી ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. પરિસ્થિતિ જોઈને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓએ કારમાં ફસાયેલા મૃતદેહો અને ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી. અકસ્માતનું કારણ આ વાહનો એક બીજાને ઓવરટેક કરતા હોવાનું કહેવામાં આવે છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના હતા. અકસ્માતની જાણ થતાં મૃતકના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે મધરાતે હનુમાનગઢ ટાઉન વિસ્તારના નૌરંગદેસર ગામ પાસે થયો હતો. કારમાં ડ્રાઈવર સહિત કુલ નવ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘાયલો અને મૃતકોના મૃતદેહોને હનુમાનગઢ જિલ્લા મુખ્યાલય સ્થિત સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ તપાસ કર્યા પછી સાત લોકોને મૃત જાહેર કર્યા હતા.

ટાઉન પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો અને ઘાયલો નૌરંગડેસર ગામના રહેવાસી હતા. આ તમામ એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તે નજીકના ગામ આદર્શ નગરથી પોતાના ગામ નૌરંગદેસર પરત ફરી રહ્યા હતા. તે જ સમયે એક કાર અને ટ્રકે એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાળકોને બિકાનેર રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માત પછી SP રાજીવ પચાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં પરમજીત કૌર, તેનો પુત્ર રામપાલ સિંહ, ખુશવિંદર સિંહ, પુત્રવધૂ રીમા અને પરમજીત અને બે બાળકો રીત અને મનજોતનો સમાવેશ થાય છે. આકાશદીપ (14) અને મનરાજ કૌર (2) બિકાનેરમાં સારવાર હેઠળ છે.

About The Author

Related Posts

Top News

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

ભારત આપણો દેશ જેની ગરિમા અને વૈવિધ્ય વિશ્વભરમાં વખણાય છે. આજે એક પેચીદા પ્રશ્નના ચોકઠામાં ઊભો છે. શું આપણે બુદ્ધની...
Opinion 
બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.