'હિટ એન્ડ રન' કાયદામાં ફેરફારના વિરોધમાં ચક્કાજામ, વસ્તુઓના ભાવ વધી શકે છે

મહારાષ્ટ્રની આસપાસના ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રસ્તાઓ બ્લોક કરી રહ્યા છે. તેનાથી મુંબઈમાં ખાદ્યપદાર્થો અને અન્ય સેવાઓના પુરવઠાને પણ અસર થઈ શકે છે. હકીકતમાં, કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા માટે હિટ એન્ડ રન કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન પીનલ કોડ, 2023માં સુધારા પછી, હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઇવરો માટે સજાને વધુ કડક બનાવવામાં આવી રહી છે. દોષિત સાબિત થયા બાદ 7 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ સુધારાનો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. AIMTCની કોર કમિટીના અધ્યક્ષ બાલ મિલ્કિત સિંહે કહ્યું કે, આ સુધારા પર પુનર્વિચાર કરવા માટે PM નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઘણા સાંસદોને પત્ર લખવામાં આવ્યો છે. જો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો 2 જાન્યુઆરીએ વિરોધને ઉગ્ર બનાવવા માટે બેઠક યોજવામાં આવશે.

હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની કેદની જોગવાઈ પછી હવે ટ્રક ચાલકોને નોકરી છોડવા મજબુર થઇ રહ્યા છે. AIMTCના જણાવ્યા અનુસાર, કાયદામાં સુધારો કરતા પહેલા હિતધારકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા ન હતા, પ્રસ્તાવિત કાયદામાં ઘણી ખામીઓ છે. સિંહે કહ્યું કે દેશભરમાં પહેલાથી જ 27 ટકા ડ્રાઈવરોની અછત છે, સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો રોડ ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવરોનો છે. AIMTCનું કહેવું છે કે, દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ છે. જેના કારણે કેસની નિષ્પક્ષ તપાસ થતી નથી અને ડ્રાઇવરને દોષિત જાહેર કરવામાં આવે છે. અકસ્માત સ્થળ પરથી ભાગી જવાનો કોઈ ડ્રાઈવરનો ઈરાદો નથી, પરંતુ તેણે આજુબાજુમાં એકઠી થયેલી ભીડથી બચવા માટે આવું કરવું પડે છે.

શનિવારથી જ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને UPમાં કાયદામાં સુધારાના વિરોધમાં ડ્રાઇવરોએ રસ્તાઓ બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે. બાલ મિલ્કિત સિંહે કહ્યું કે, હાલમાં AIMTC દ્વારા ચક્કાજામ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, આ વિરોધ હતાશ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકોને ધીરજ રાખવા અપીલ કરવામાં આવી છે. જો વિરોધ ઉગ્ર બનશે તો તેની સીધી અસર રોડ સપ્લાય ચેઈન પર પડશે. ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પણ બંધ થઈ શકે છે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોની અવરજવરમાં સમસ્યા સર્જાશે.

હાલમાં, હિટ એન્ડ રનના કેસ IPC કલમ 279 (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ), 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) અને 338 (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ નોંધવામાં આવે છે. આમાં બે વર્ષની જેલની જોગવાઈ છે. ખાસ કિસ્સાઓમાં, IPCની કલમ 302 પણ ઉમેરવામાં આવે છે.

સુધારા પછી, કલમ 104 (2) હેઠળ જો કોઈ આરોપી હિટ એન્ડ રનની ઘટના પછી સ્થળેથી ભાગી જાય. જો વ્યક્તિ પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ નહીં કરે તો તેને દસ વર્ષ સુધીની કેદ અને દંડ ભરવો પડશે.

About The Author

Top News

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

એક હતા સરદાર અને એક છે અસરદાર... આપણા ભારતના બે ગૃહમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Opinion 
એક હતા સરદાર અને એક છે અસરદાર... આપણા ભારતના બે ગૃહમંત્રી

ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ...
Politics 
ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પોતાની 18મી સીઝનમાં છે. તો, પાકિસ્તાન સુપર લીગ (PSL) પોતાની 10...
Sports 
પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.