CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારપછી કટરાથી શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. આ સાથે, કાશ્મીર હવે રેલ માર્ગ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા પણ હાજર હતા. આ પ્રસંગે કટરા ખાતે આયોજિત જાહેર સભાને સંબોધતા CM ઓમર અબ્દુલ્લાએ PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશા વ્યક્ત કરી.

PM Modi CM Omar Abdullah
amarujala.com

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ઘણા લોકોએ આ રેલનું સ્વપ્ન જોયું હતું. અંગ્રેજોએ પણ કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ તેઓ તે પૂર્ણ કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે તેમનું (બ્રિટિશ) સ્વપ્ન ઉરી ઝેલમના કિનારે રેલ્વે લાવીને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવાનું હતું. જે અંગ્રેજો પૂર્ણ કરી શક્યા ન હતા, તે આજે તમારા દ્વારા પૂર્ણ થયું છે અને કાશ્મીર દેશના બાકીના ભાગ સાથે જોડાઈ ગયું છે. CM ઓમરે વધુમાં કહ્યું કે, જો હું આ પ્રસંગે ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો આભાર ન માનું તો તે એક મોટી ભૂલ હશે.

તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો પાયો ચોક્કસપણે 1983-84માં નાખવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે હું આઠમા ધોરણનો બાળક હતો. આજે હું 55 વર્ષનો છું અને મારા બાળકો પણ કોલેજ પાસ કરી ચૂક્યા છે અને હવે તે પૂર્ણ થઈ ગયું છે. CM ઓમરે કહ્યું કે, વાજપેયીજીની સરકારે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટનો દરજ્જો આપ્યો, બજેટની જોગવાઈ કરી અને પછી હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.

PM Modi CM Omar Abdullah
business-standard.com

તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો થશે. CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યારે અહીં વરસાદ શરૂ થતાં જ હાઇવે બંધ થઈ જતો હોય છે, ત્યારે જહાજ માલિકો આપણને લૂંટવાનું શરૂ કરે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જહાજ માલિકોની લૂંટ બંધ થઈ જશે, અમારૂ આવવા જવાનું ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, આનાથી પર્યટન પણ વધશે.

About The Author

Top News

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.