PM મોદી આર્જેન્ટિના પહોંચ્યા તો કોંગ્રેસે ઈન્દિરા ગાંધીની તસવીર શેર કરી શું લખ્યું

કોંગ્રેસના નેતા જયરામ રમેશે PM નરેન્દ્ર મોદીની આર્જેન્ટિનાની મુલાકાત પર કટાક્ષ કર્યો છે. આ માટે તેમણે 'સુપર-પ્રીમિયમ ફ્રિક્વન્ટ ફ્લાયર' શબ્દનો ઉપયોગ કર્યો છે. X પર એક પોસ્ટમાં તેમણે PM નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસની ટીકા જ નહીં, પરંતુ ભારત અને આર્જેન્ટિના વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને પણ યાદ કર્યા. તેમણે લખ્યું કે, સુપર પ્રીમિયમ ફ્રિક્વન્ટ ફ્લાયર આજે આર્જેન્ટિનામાં છે, 3 પૂરા થયા છે, 2 હજુ આવવાના બાકી છે. હકીકતમાં, PM નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસ પર છે, જેમાં તેમણે અત્યાર સુધીમાં ત્રણ દેશોની મુલાકાત લીધી છે.

Jairam Ramesh
navjivanindia.com

જયરામ રમેશે 1924માં રવિન્દ્રનાથ ટાગોરની આર્જેન્ટિનાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેઓ પ્રખ્યાત સાહિત્યકાર વિક્ટોરિયા ઓકામ્પોના આમંત્રણ પર ગયા હતા. ટાગોર અને ઓકામ્પો વચ્ચે ગાઢ મિત્રતા વિકસી હતી, જે ટાગોરના જીવનચરિત્રમાં વ્યાપકપણે લખાઈ છે. ટાગોરનો કાવ્યસંગ્રહ 'પૂરબી', જે 100 વર્ષ પહેલાં પ્રકાશિત થયો હતો, તે ઓકામ્પોને સમર્પિત હતો.

જયરામ રમેશે કેટલીક તસવીરો શેર કરતાં આગળ જણાવ્યું કે, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1968માં બ્યુનોસ એરેસમાં ઓકામ્પોને મળ્યા હતા અને વિશ્વ ભારતી યુનિવર્સિટી વતી તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. એટલું જ નહીં, 1986માં આર્જેન્ટિનાએ ઇન્દિરા ગાંધીની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

PM Narendra Modi
indiatoday-in.translate.goog

જયરામ રમેશે પ્રખ્યાત આર્જેન્ટિનાના લેખક જોસ લુઇસ બોર્ગેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું સ્પેનિશ ભાષા અને આંતરરાષ્ટ્રીય સાહિત્યમાં મહત્વપૂર્ણ સ્થાન છે. કોંગ્રેસ નેતાએ પોસ્ટમાં લખ્યું હતું કે, 1906માં, જ્યારે બોર્ગેસ સાત વર્ષના હતા, ત્યારે બોર્ગેસએ સર એડવિન આર્નોલ્ડનું 'ધ લાઈટ ઓફ એશિયા' વાંચ્યું અને તેનાથી તેમને બુદ્ધના જીવન વિશે વધુ વાંચવા અને શીખવાની પ્રેરણા મળી. બોર્ગેસની ટૂંકી વાર્તાઓ, નિબંધો, કવિતાઓ અને વ્યાખ્યાનોમાં બુદ્ધનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. 1969 સુધીમાં, તેમણે તેમની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી, પરંતુ આનાથી તેમને વધુ ખ્યાતિ મળી. બોર્ગેસનું પુસ્તક 'ક્વે એલ બુડિસ્મો (બુદ્ધ ધર્મ શું છે)' 1986માં તેમના મૃત્યુના 10 વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું, જે બુદ્ધ પ્રત્યેના તેમના જીવનભરના આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. 6 જુલાઈ 1977ના રોજ, બોર્ગેસે બ્યુનોસ એરેસમાં બૌદ્ધ ધર્મ પર તેમનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું હતું, જે હજુ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

PM Narendra Modi
jansatta.com

કોંગ્રેસના નેતાએ રાઉલ પ્રેબિશનો પણ ઉલ્લેખ કર્યો, જે UNCTADના વડા હતા અને વિકાસ અર્થશાસ્ત્રના નિષ્ણાત હતા. તેમણે યાદ કર્યું કે UNCTADનું બીજું સત્ર 1968માં દિલ્હીમાં યોજાયું હતું, તે પહેલી વાર હતું જ્યારે કોઈ વિકાસશીલ દેશે આટલી મોટી UN પરિષદનું આયોજન કર્યું હતું. જયરામ રમેશે ધ્યાન દોર્યું કે, ડૉ. મનમોહન સિંહ તે સમયે UNCTADમાં કામ કરતા હતા અને તેમનો એક દુર્લભ પરિવારનો ફોટો પણ શેર કર્યો.

તેમણે 'ગ્લોબલ સાઉથ' શબ્દ પર પણ કટાક્ષ કર્યો, એક શબ્દ જેનો ઉપયોગ PM નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન S. જયશંકર સતત કરે છે. જયરામ રમેશે લખ્યું કે, આ ખ્યાલ UNCTADમાંથી આવ્યો છે, જોકે તેનો ઉપયોગ સૌપ્રથમ 1960માં બ્રિટિશ બેંકર ઓલિવર ફ્રેન્ક્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

Indira Gandhi
telegraphindia-com.translate.goog

જયરામ રમેશે તેમના 5 દેશોના પ્રવાસની શરૂઆતથી જ PM નરેન્દ્ર મોદી પર સતત નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસના વલણનો પુનરોચ્ચાર કર્યો છે કે, મે 2023માં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી PM નરેન્દ્ર મોદીએ એક પણ વાર મણિપુરની મુલાકાત લીધી નથી. PM નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે (સ્થાનિક સમય) બે દિવસની મુલાકાત માટે આર્જેન્ટિના પહોંચ્યા, જે 57 વર્ષમાં કોઈ ભારતીય PMની આ પહેલી મુલાકાત છે. ઘાના અને ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેઓ લેટિન અમેરિકન દેશમાં છે. ત્યારપછી તેઓ બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલ અને નામિબિયા જશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.