RSSના વડા મોહન ભાગવતે તાજેતરમાં એક કાર્યક્રમમાં એક પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે RSSના એક નેતાનું 75 વર્ષની વયે શાલ ઓઢાડીને સન્માન કરાયું ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે તમને શાલ ઓઢાડે ત્યારે સમજી લેવાનું કે હવે તમારે નિવૃત થઇ જવાનું છે. આ વાત PM મોદીને નિશાન સાધીને કહેવામાં આવી હોવાનું લોકોએ તારણ કાઢ્યું.
કર્ણાટકની સાગર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ભાગવતના નિવેદન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપે છે તો પછી તેમના વારસદાર તરીકે કેન્દ્રીય નેતા નિતીન ગડકરીને ભારતના પ્રધાનમંત્રી બનાવવા જોઇએ, તેઓ બધામાં સૌથી યોગ્ય પસંદ છે અને ગડકરી હમેંશા ગરીબોના હિત વિશે વિચારે છે.
જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...